Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video - અમદાવાદમાં ઓઢવની બંધ બેંકમાં આગ લગાડી જનાર શખસ વિરુદ્ધ ફરિયાદ

Webdunia
શનિવાર, 13 ફેબ્રુઆરી 2021 (11:20 IST)
ઓઢવમાં સોમવારે મોડી રાતે એક બંધ ખાનગી બેંકના શટર પાસે જઈ જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાડી ભાગી જનાશ શખસના વિરુદ્ધમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ખાનગી બેંકના બ્રાન્ચ મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. નિકોલમાં રહેતા અને ઓઢવની એક ખાનગી બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા કૌશિક પનારા સોમવારે મોડી રાતના સમયે ઘરે હાજર હતા, ત્યારે તેમને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારી બેંકમાં આગ લાગી છે. જેથી કૌશિક બેંકે પહોંચ્યા હતા. જો કે અગાઉથી જ ફાયરબ્રિગેડની ટીમ બેંકની લાગેલી આગ બુઝાવવા માટે પ્રયાસ કરી રહી હતી.

આગ પર કાબુ મેળવ્યા બાદ નુકશાન થયાની તપાસ કરવા કૌશિક બેંકમાં ગયા ત્યારે અગત્યના દસ્તાવેજો અને ફાઈલો બળી ગઈ હોવાનું જોવા મળ્યું હતું. બેંકના એક કર્મચારીએ બ્રાન્ચ મેનેજરને બોલાવી બેંકનું સીસીટીવી ફૂટેજ બતાવ્યો હતો. જેમાં દેખાતું હતું કે, કોઈ અજાણ્યો શખસ બેંકના શટરની નીચે કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાડી ભાગી ગયો હતો. આ શખસ બેંકના ખાતાધારકોના ડોક્યુમેન્ટ અને જૂની ફાઈલો સળગાવી નુકશાન કર્યું હોવાથી કૌશિકે ઓઢવ પોલીસને ઘટનાની જાણ કરી હતી ત્યારબાદ આગ લગાવનાર અજાણ્યા શખસના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments