Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવતીએ પ્રેમલગ્ન કરતાં પરિવારજનોએ કરાવ્યું અપહરણ, સમગ્ર ઘટના CCTV માં કેદ

Webdunia
બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (13:54 IST)
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જૈન દેરાસર પાસે બપોરના સમયે કારમાં આવેલા કેટલાક શખ્સોએ યુવતિને મંદીરમાંથી ઉપાડી જઇ અપહરણ કરી લીધું હતું. યુવતિના અપહરણ દરમિયાન રાહદારીઓ મુકબધિર બની સમગ્ર ઘટના નિહાળી રહ્યા હતા પરંતુ કોઇએ પણ યુવતિને બચાવવાનો પ્રયત્ન સુદ્ધા કર્યો ન હતો. જોકે ઘટના અંગેની જાણ નવરંગપુરા પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવની હકીકત જાણી હતી.
 
આ અંગે એક યુવક દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અપહરણ અને મારામારી અંગેની ચોંકાવનારી હકીકતો સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે સોલામાં રહેતા 28 વર્ષીય યુવકને પોતાના જ ફ્લેટમાં રહેતી યુવતી સાથે પ્રેમ થયો હતો ત્યારબાદ બંનેએ પોતાની મરજીથી લગ્ન કરી લીધા હતા પરંતુ યુવતિના પરિવારથી સંતાઇ રહેતા હતા. લગ્ન બાદ બંને રાજકોટ જતા રહ્યા હતા. આ દરમિયાન યુવતિના પરિવારના લોકોએ ફોન કરીને બંનેને સમાધાન માટે બોલાવ્યા હતા.
 
ત્યારબાદ યુવક અને યુવતી રાજકોટથી આવીને અમદાવાદના મણિનગર ખાતે એક મકાનમાં રોકાયા હતા. યુવતીના પરિવારના લોકો સાથે વાતચીત બાદ નવરંગપુરા ખાતે આવેલા એક જૈન દેરાસરમાં બંને પક્ષ વચ્ચે બેઠક નક્કી થઈ હતી. બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન બે ત્રણ શખ્સો આવી ચડ્યા હતા અને યુવતિનું અપહરણ કર્યું હતું અને યુવકને માર માર્યો હતો. જોકે આ આંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં યુવકએ યુવતિના પરિવાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંગે નવરંગપુરા પોલીસે પણ સીસીટીવી આધારે મારામારી કરતા અને યુવતીને ઉઠાવી લઈ જતા શખ્સોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments