Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ જિલ્લાની 416 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે પ્રશાશને તૈયારીઓ શરૂ કરી

Webdunia
રવિવાર, 29 ઑગસ્ટ 2021 (22:09 IST)
અમદાવાદ મહાપાલિકાના બે વોર્ડની 1-1 બેઠકની પેટાચૂંટણી પણ યોજાશે
બરેજા અને બાવળા પાલિકાની 1-1 બેઠકની પેટાચૂંટણી યોજાશે 
 
દસક્રોઈ તાલુકા પંચાયતની 1 અને સાણંદ તાલુકા પંચાયતની 2 બેઠકોની પેટાચૂંટણી યોજાશે 
 
કઠલાલ ગામ અમદાવાદમાં ભળતા તેના નવા સીમાનકનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
 
અમદાવાદ: આગામી ડિસેમ્બર માસમાં રાજયની મોટાભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે.... અમદાવાદ જિલ્લાના કુલ 436 ગામો પૈકી 416 ગામોની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હોવાથી અમદાવાદ જિલ્લા પ્રશાશન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે..... અમદાવાદ જિલ્લામાં ગ્રામ પંચાયત ઉપરાંત જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતોની 3, નગરપાલિકાઓની 2 અને અમદાવાદ મહાપાલિકાની 2 બેઠકની પેટાચૂંટણી પણ ડિસેમ્બર માસમાં યોજાશે..... ગ્રામપંચાતની ચૂંટણીઓ માટે અમદાવાદ મહાપાલિકામાં ભળેલા કથાવડા- નવરંગપુરા ગામમાં નવેસરથી સીમાનકનની પ્રક્રિયા પણ હાલ હાથ ધરવામાં આવી છે.... તો બીજી તરફ સરપંચ, ઉપસરપંચ માટે અનામત બેઠકો માટે  રોટેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.... આગામી ડિસેમ્બર માસમાં ધોળકાની 62, વિરમગામની 54, બાવળાની 47, ધોલેરાની 23, ધંધુકાની 40, દેત્રોજની 33, સાણંદની 64, માંડલની 33 અને દસક્રોઈ તાલુકાની 60 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે.....
આ અંગે નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે  અમદાવાદ મહાપાલિકાના ચાંદખેડા અને ઇશનપુર વોર્ડની 1 - 1 બેઠકની પેટાચૂંટણી યોજાશે.... સાથે બરેજા પાલિકાના વોર્ડ નંબર 6 અને બાવળા પાલિકાના વોર્ડ નંબર 5ની 1- 1 બેઠકની પેટાચૂંટણી યોજાશે... ઉપરાંત દસક્રોઈ તાલુકા પંચાયતની કુહા બેઠકની પેટાચૂંટણી યોજાશે.... સાણંદ તાલુકા પંચાયતની પીપળ અને ઝાપ બેઠકની પેટાચૂંટણી યોજાશે.... અમદાવાદ જિલ્લા પંચાયતની નાંદેજ બેઠકની પેટાચૂંટણી યોજાશે... અમદાવાદ જિલ્લાની 416 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે..

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગાઝિયાબાદમાં જ્યુસ વેચનારની ધરપકડ, ફળોના રસમાં ભેળવતો હતો માનવ પેશાબ

ગાંઘીનગરમાં મોટી દુર્ઘટના, મેશ્વા નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

આગળનો લેખ
Show comments