Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં માત્ર ૨૦ દિવસમાં ઝાડા-ઊલટીના ૬૨૯ કેસ

Webdunia
બુધવાર, 24 જુલાઈ 2019 (12:55 IST)
શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના નવા કેસો સપાટી પર આવ્યા છે. હાલમાં વરસાદી માહોલ છવાયો છે. આ પહેલા ભીષણ ગરમી પડી હતી. જુલાઈ મહિનામાં તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં ઝાડા-ઊલટીના ૬૨૯ અને ટાઈફોઈડના ૪૩૦ કેસ સપાટી પર આવ્યા હતા. જ્યારે કમળાના ૨૭૦ કેસ નોંધાઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના ૨૦મી જુલાઈ સુધીના ગાળામાં ઝાડા-ઊલટીના મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી. જૂન, ૨૦૧૯માં કોલેરાના ૧૫ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. 
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો છેલ્લા ૨૦ દિવસના ગાળામાં સાદા મલેરિયાના સત્તાવાર રીતે ૨૭૬ કેસ અને ઝેરી મલેરીયાના ૧૩ કેસ નોંધાયા હતા. જુલાઈ ૨૦૧૮માં ૧૬૦૮૦ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ૨૦મી જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૮૫૯૪૬ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી. જુલાઈ ૨૦૧૮માં ૩૪૦૭ સિરમ સેમ્પલની સામે છઠ્ઠી જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૧૨૫૬ સિરમ સેમ્પલ લેવાયા હતા. અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા છે જેમાં ક્લોરિન ટેસ્ટ, બેક્ટીરીયોલોજિકલ તપાસ માટે પાણીના નમૂના, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓનું જુદા જુદા વિસ્તારમાં વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments