Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ૯૬ શાળા બંધ કરી સરકારી પ્રાથમિક શાળાઓમાં ૯૯૪૩ શિક્ષકોની ઘટ

Webdunia
સોમવાર, 29 જુલાઈ 2019 (14:21 IST)
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૭૩ સરકારી શાળાઓ બંધ કરી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૯૬ શાળાઓ બંધ કરી છે, એવું દરિયાપુર મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું. તેમણે બંધ પડેલી સરકારી શાળાઓ પુન: શરૂ કરવાની માંગણી કરી હતી. શેખે જણાવ્યું હતું કે, રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા નવી શાળાઓ શરૂ કરવામાં આવતી નથી પરંતુ ખાનગી શાળાઓને ઉત્તેજન આપવા માટે સરકારી શાળાઓ બંધ કરવામાં આવે છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ૯,૯૪૩ જેટલા શિક્ષકોની ઘટ છે અને જે શિક્ષકો છે તેમને પણ અન્ય કામગીરી સોંપાતા વિદ્યાર્થીઓના શિક્ષણકાર્ય પર વિપરીત અસર પડે છે. સરકારી શિક્ષકોની પૂરતા પ્રમાણમાં ભરતી કરી સરકારી કર્મચારીઓને સ્પીપા જેવી સંસ્થામાં અપાતા પ્રશિક્ષણની જેમ તમામ શિક્ષકોને આધુનિક શિક્ષણ પદ્ધતિ અનુસાર પ્રશિક્ષણ આપી પ્રશિક્ષિત કરવા જોઈએ.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments