Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં શિક્ષકોની હેવાનિયાત, પાદરામાં સસ્પેન્ડ તો સાબરકાંઠામાં પોક્સો હેઠળ ફરિયાદ

Webdunia
બુધવાર, 16 ઑગસ્ટ 2023 (17:08 IST)
Gujarat teacher
આણંદની સેન્ટમેરી સ્કૂલના શિક્ષક સામે ધોરણ પાંચની વિદ્યાર્થીનીની છેડતીની ફરિયાદ 
 
Kevi Rite Bhanshe Gujarat - ગુજરાતમાં શિક્ષણના ધામમાં શિક્ષકો હેવાન બની રહ્યાં છે. સાબરકાંઠામાં સ્કૂલના શિક્ષકે ચોકીદારની દિકરીની છેડતી કરવાની ઘટના બની હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીનીના પિતાને 10 હજાર આપી મામલો દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. સ્કૂલના શિક્ષક પર દારૂ પીને સ્કૂલમાં રોકાવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.ત્યારે આ શિક્ષક સામે પોક્સોની ફરિયાદ કરવામાં આવી છે. બીજી બાજુ આણંદમાં પણ શિક્ષકે ધોરણ પાંચની વિદ્યાર્થીનીની જાતિય સતામણી કરી હોવાની ઘટના સામે આવી છે. 
 
વિદ્યાર્થીનીની માતાને જાણ થતાં જ શિક્ષકનો ભાંડો ફૂટયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદની સેન્ટ મેરી સ્કૂલના શિક્ષકની કરતૂત સામે આવી છે. શિક્ષકે ધોરણ પાંચની વિદ્યાર્થીનીના હાથ પર બચકુ ભર્યું છે. પરીક્ષામાં વિદ્યાર્થીનીને ઓછા માર્ક્સ આવતાં બ્લેકમેલ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ બાબત વિદ્યાર્થીનીની માતાને જાણ થતાં જ શિક્ષકનો ભાંડો ફૂટી ગયો છે. આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરાઈ છે. 
 
પાદરામાં પણ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો
બીજી તરફ વડોદરાના પાદરામાં પણ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પાદરાના અભોર ગામની પ્રાથમિક સ્કૂલમાં આચાર્ય સામે ગંભીર આક્ષેપ થયાં હતાં. વિદ્યાર્થીનીને શૌચાલયમાં લઈ જઈને અશ્લિલ વીડિયો બતાવવાનો તેની પર આરોપ લગાવવામાં આવ્યો છે. આચાર્યની આ કરતૂત સામે આવતાં ગામલોકોએ હોબાળો મચાવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments