Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં 4 અઠવાડિયા બંધ ટેક્સટાઇલ માર્કેટ આજથી ખુલશે, વેપારીઓમાં ઉત્સાહ

Webdunia
શુક્રવાર, 21 મે 2021 (09:17 IST)
રાજ્ય સરકારે આજથી વ્યાવસાયિક ગતિવિધિઓને અડધા દિવસની છૂટ આપતાં સુરતની ટેક્સટાઇલ માર્કેટ પણ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલશે. ગત ચાર અઠવાડિયાથી ટેક્સટાઇલ માર્કેટોમાં સંપૂર્ણ બંધ રહેલી દુકાનો આજથી ખુલતાં રિંગરોડ પર ચહેલ પહેલ જોવા મળશે. 
 
ગુજરાત સરકારે માર્કેટ ખોલવાની અનુમતિ વિશે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા)એ શહેરના તમામ વેપારીભાઇઓને સૂચિત કર્યા છે કે આજે શુક્રવારે 21 મેથી 27 મે 2021 સુધી સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી માર્કેટોની દુકાનો ખોલી શકે છે. રાજ્ય સરકારે જાહેર કરેલા દિશા નિર્દેશોનું તમામ વેપારી ભાઇઓએ સખત પાલન કરવું પડશે. આ દરમિયાન માર્કેટોમાં તમા પ્રકારના માલની અવરજવર થશે. 
 
ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોના વાયરસના સંક્ર્મણની ચેન તોડવા માટે રાજ્ય સરકારે સુરતની ટેક્સટાઇલ માર્કેટોને ગત 28 એપ્રિલથી બંધ રાખવાની સૂચના આપી હતી. સતત ચર અતઃઅવાડિયથી સુરતની 170થી વધુ માક્રેટોની હજારો દુકાનો સંપૂર્ણપણે બંધમાં સહભાગી થઇ. આ દરમિયાન કપડાંના વેપારીઓને કરોડો રૂપિયા ગુમાવ્યા છે. કપડા માકેર્ટ માટે લગ્ન, ઇદ સહિતના તહેવારોની સિઝનમાં જ બજાર બંધ રહેવાથી કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું.
 
હવે શહેરમાં કોરોના સંક્ર્મણની ગતિ ઓછી થઇ તો રાજ્ય સરકરે આંશિક છુટછાટ આપી છે. તમામ વેપારીઓને સરકારની સૂચનાના અનુસાર કોવિડ ગાઇડલાઇનનું પાલન કરતાં દુકાનો ખોલીને વેપાર કરવા માટે કહ્યું છે. ચાર અઠવાડિયા બાદ માર્કેટ ખોલવા માટે વેપારીઓ ઉત્સાહી છે. શુક્રવારે રિંગરોડ પર વેપારીઓ અને મજૂરોની ચહેલ પહેલ જોવા મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments