Webdunia - Bharat's app for daily news and videos

Install App

થરાદની નર્મદા કેનાલમાંથી 24 કલાકના રેસ્ક્યુ બાદ આપઘાત કરનાર તમામના મૃતદેહ બહાર કઢાયા

Webdunia
શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (11:54 IST)
બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ગઇકાલે ત્રણ બાળકો સહિત પાંચ લોકોએ મોતની છલાંગ લગાવી હતી. પ્રેમી સાથે મહિલાએ ત્રણ બાળકોને સાથે લઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે કેનાલમાં શોધખોળ હાથ ધરતા ગઇકાલે ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે આજે 24 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ આજે તમામ પાંચેયના મૃતદેહ બહાર કઢાયા છે.કેનાલમાંથી 3 બાળકોના મૃતદેહ બહાર કઢાયા હતા. આ કેનાલ પાસેથી 2 મોબાઈલ અને બસની ટિકિટ પણ મળી આવી હતી. જોકે હજુ સુધી આપઘાતનું રહસ્ય અકબંધ છે. હાલ મહિલા સાથે આપઘાત કરનાર યુવક અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.ગુજરાતમાં સામુહિક આપઘાતના બનાવમાં એકાએક વધારો થયો છે. જેમાં કોઈ દેવું વધી જતા આપઘાત કરે છે તો કોઈ ઘરકંકાસથી કંટાળી પોતાનું જીવન ટૂંકાવી રહ્યું છે. તો ક્યાંક પ્રેમમાં પાગલ યુવક-યુવતીઓ છેલ્લો રસ્તો અપનાવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં આ સામુહિક આપઘાતની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.આ બનાવની જાણ થતાં જ આસપાસના ગામના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ હદ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં કેનાલમાંથી મૃતદેહોને શોધવાની કવાયત હાથ ધરાઇ હતી. જોકે 24 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ મહામહેનતે આજે તમામે તમામ પાંચેયના મૃતદેહ બહાર કાઢી દેવાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments