Webdunia - Bharat's app for daily news and videos

Install App

શહેરામાં મોર્નિંગ વોક પર નિકળેલા સીનિયર સિટિઝન્સને કારે ફંગોળ્યા, ત્રણનાં મોત

Webdunia
બુધવાર, 18 ડિસેમ્બર 2019 (11:52 IST)
પંચમહાલમાં આવેલા શહેરા તાલુકામાં મોરવા અને ગોકળપુરા વચ્ચે એક કારે વહેલી પરોઢે ચાલવા નિકળેલા રાહદારીઓને અડફેટે લેતા ત્રણનાં મોત નીપજ્યાં છે. કાર ચાલક ઘટનાસ્થળે કાર મુકીને ફરાર થઇ ગયો છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મુજબ કારનાં માલિકનું નામ રાજેશ બાબર પટેલ છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી સામેથી આવી રહેલી અન્ય કાર નહીં દેખાતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ત્રણ વૃદ્ધોને અડફેટે લેતા તેમના ઘટનાસ્થળે જ મોત થયા છે. તમામ મૃતકો મોરવા રેણા ગામનાં રહેવાસી હતા. આ અકસ્માતમાં 62 વર્ષનાં ડૉ. સુરેશ એન. પટેલ, 60 વર્ષનાં પટેલ ગુણવંતભાઇ નાથાભાઇ અને 60 વર્ષનાં વાળંદ રણછોડભાઇ મગનભાઇનાં મોત થયા છે. અક્મસાતમાં કારનો આગળનો કાંચ તૂટી ગયો છે તેમજ બોનેટ અને આગળની લાઇટ પણ તૂટી ગયા છે જેના પરાથી આ અકસ્માત વખતે કાર પૂરઝડપે આવી રહી હોવાનો અંદાજ છે. કાર ચાલક અકસ્માત કરીને ત્યાંથી નાસી છૂટ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ કાર ગોકળપુરા ગામની જ છે. કાર કોણ ચલાવી રહ્યું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments