અમરેલી જીલ્લામાં સિંહ દ્વારા સાત વર્ષના બાળકનું મોત થયું હતું. મંગળવારે સવારે બનેલી ઘટના બાદ ગીર નેશનલ પાર્ક નજીક આવેલા વિસ્તારમાં રખડતા બે સિંહોને પકડી લેવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે રાહુલ બરૈયા નામના છોકરા પર પાણીયા ગામમાં સિંહે હુમલો કર્યો
જ્યારે તે પાણી લેવા નદી તરફ જઈ રહ્યો હતો. બાદમાં તેનો ખરાબ રીતે વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો.
નાયબ વન સંરક્ષક જયંત પટેલે જણાવ્યું હતું કે વન અધિકારીઓએ વિસ્તારને કોર્ડન કરીને બે સિંહોને પકડી લીધા હતા. તેને તપાસ માટે ક્રાંકચ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.