Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેત્રંગમાં સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતા કાર ડેમની ખાડીમાં ખાબકી, પતિ પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યા

Webdunia
ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2022 (16:46 IST)
ભરુચ જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચે ઉબડ ખાબડ માર્ગના કારણે આખે આખો પરિવાર મોતને ભેટયો છે. રાત્રિના સમયે માર્ગ ઉપરના ખાડાને બચાવવા જતાં એક કાર બળદેવા ડેમની ખાડીમાં ખાબકી અને તેમાં બેઠેલા પતિ પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યા હતા. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતા પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે.

ખાડીમાં પાણી વધુ હોવાથી કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓ ડૂબવા લાગ્યા હતા. બચવા માટે બુમરાણ તો મચાવી પરંતુ રાત્રિના સમયે કોઈ મદદે આવી શકે તેમ ન હતું. અને ત્રણેય વ્યક્તિઓના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યાં હતા. બનાવ અંગે જાણ થતાં જ નેત્રંગ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામા આવ્યા હતા ઘટના અંગે સંદીપ ભાઈના પિતા લવઘન વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.વડિયા ગામની દેવનારાયણ સોસાયટીમાં રહેતા નિવૃત પોલીસ અધિકારી એલ.યુ.વસાવાનો 38 વર્ષીય પુત્ર સંદીપકુમાર વસાવા તેની પત્ની યોગિતા અને 3 વર્ષની પુત્રી મહી ત્રણેય નેત્રંગ ખાતે રહેતા હતા. યોગિતા વસાવા નેત્રંગ તાલુકામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતી. ગત રાત્રીના હોટેલમાં જમીને તેઓ ઘરે પરત ફરતા હતા ત્યારે રમણપુરા ખાતે બ્રીજ પાર રસ્તો ખુબ ખરાબ હોવાથી કાર ચલાવતા સંદીપે ખાડો બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બ્રીજ નીચે કાર ડેમના રિઝર્વ પાણીના તળાવમાં ખાબકી હતી.ઘટનાની જાણ રાજપીપળામાં થતા પરિવારના સભ્યો નેત્રંગ ખાતે દોડી ગયા હતા. અને નાના દીકરાનો પરિવાર વિખરાઈ જતા વડિયા ગામ હીબકે ચઢ્યું હતું. સવારે રાજપીપળા વડિયા ખાતે આવેલ દેવનારાયણ સોસાયટીમાંથી એક સાથે પિતા, માતા અને પુત્રી એમ એક પરિવારના ત્રણ સભ્યોની એક સાથે મૃતદેહો જોઈ ગામ આખું હીબકે ચઢ્યું હતું. ત્યારે તેમની અંતિમ યાત્રામાં જોડાવા મોટી સંખ્યામાં લોકો તેમના રહેઠાણ ખાતે ઉમટ્યાં હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments