Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડામાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી

Webdunia
બુધવાર, 22 મે 2024 (16:13 IST)
fire suratfire surat


ખેડાના હરિયાળા ગામ પાસે એક વેર હાઉસના ગોડાઉનમાં એકાએક આગ લાગતાં ભારે અફરાતફરી મચી છે. બુધવારે સવારે આ ઘટના બનતા નડિયાદ અને ખેડાની ફાયર બ્રિગેડ ટીમ દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ખેડા તાલુકાના હરિયાળા ગામની સીમ તાબે બેટડીલાટમાં આવેલ વેરહાઉસના ગોડાઉનમાં બુધવારે સવારે કોઈ કારણોસર આગ લાગી હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આગના ગોટેગોટા અડધા કીમી દૂરથી દેખાવા લાગ્યા હતા.

બનાવની જાણ ખેડા ફાયર બ્રિગેડને તેમજ એ બાદ નડિયાદ ફાયર બ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડના જવાનો વોટર બ્રાઉઝર સાથે દોડી આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હાલ સુધી આગ કાબૂમાં આવી નથી. બનાવના પગલે આ વેરહાઉસમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અંદર ધુમાડો હોવાથી ગોડાઉનની દીવાલો તોડી આગને કાબૂમાં લેવા ફાયર કર્મચારીઓ પ્રયાસ કરી રહ્યા છે.

ફાયરબ્રિગેડનાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લોજિસ્ટિકના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર સતત વોટર બ્રાઉઝર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આગ લાગવાના બે કલાક બાદ પણ આગ કન્ટ્રોલમાં આવી ન હતી. જેથી ખેડા, નડિયાદ, ONGC ખેડા અને અમદાવાદના ફાયરબ્રિગેડ કર્મીઓની મદદ લેવાઈ હતી. જોકે, હાલ આગ પર 70 ટકા જેટલો કાબૂ મેળવી દેવાયો છે. કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments