Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત: ONGC ના ગેસ પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, Video માં બ્લાસ્ટ સાથે જોવા મળી આગની જ્વાળાઓ

Webdunia
ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (09:29 IST)
ગુજરાતના સુરત સ્થિત ઓએનજીસીના હજિરા ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં બુધવારે મોડી રાત્રે આગ લાગી હતી. હવે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી અને ના તો કોઇને ઇજા પહોંચી છે. આ જાણકારી ઓએનજીસીએ આપી હતી. 

<

#WATCH Gujarat: A fire breaks out at an Oil and Natural Gas Corporation (ONGC) plant in Surat. Fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/6xPKHW5PrR

— ANI (@ANI) September 23, 2020 >
 
તો બીજી તરફ સુરતના જિલ્લાધિકારી ડો. ધવલ પટેલે કહ્યું હતું કે 'લગભગ 3 વાગે ઓએનજીસી હજીરા પ્લાન્ટમાં સતત ત્રણ બ્લાસ્ટ થયા હતા, જેથી આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અત્યાર સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી. ઓએનજીસીના અધિકારી ગેસ સિસ્ટમને ડિપ્રેરાઇજિંગ (અંદર બનેલા ગેસના દબાણને બહાર કાઢવાનું) કરવાનું કામ કરી રહ્યા છે. 
 
તમને જણાવી દઇએ કે રાત્રે આગ લાગતાં ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. પ્લાન્ટમાં આગ લાગવાનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં બે જ્ગ્યાએ આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળી રહી છે. વીડિયો નજીકમાં જ પુલ પરથી લેવામાં આવ્યો હતો. 
 
સુરત સ્થિત ઓએનજીસીના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના પહેલીવાર નથી. આ પહેલાં 2015માં પણ અહીં આગ લાગી હતી. લગભગ 12 લોકો ઘાયલ થયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments