Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રત્નમણિ જૂથના 500 કરોડના બિનહિસાબી વ્યવહાર પકડાયા; 8.30 કરોડના દાગીના,1.80 રોકડા જપ્ત

Webdunia
બુધવાર, 8 ડિસેમ્બર 2021 (10:05 IST)
અમદાવાદ શહેરની રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યૂબસ પર ઈન્કમટેક્સના દરોડા દરમિયાન રોકડા રૂ. 1.80 કરોડ અને રૂ.8.30 કરોડના દાગીના મળ્યા છે. 23 નવેમ્બરે શરૂ કરવામાં આવેલા દરોડા હજુ ચાલુ છે અને વધુ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. ઈન્કમટેક્સે જૂથની અમદાવાદ અને મંુબઇમાં મળી 30થી વધુ જગ્યાએ એક સામટા દરોડા પાડ્યા હતા. રત્નમણિ ઉપરાંત મોનાર્ક નેટવર્ક અને એસ્ટ્રલ પાઇપ્સ સાથે સંકળાયેલી કંપનીઓ પર પણ દરોડા પડ્યા હતા. પ્રકાશ સંઘવી રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. સર્ચ ઓપરેશન દરમિયાન, મોટી સંખ્યામાં બિનહિસાબી દસ્તાવેજો, છૂટક પત્રકો, ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આ પુરાવામાં જૂથની બિનહિસાબી આવકનો વિગતવાર રેકોર્ડ છે, જેના પર બાકી કર ચૂકવ્યો નથી. સર્ચ દરમિયાન ડિલિટ કરેલા વોટ્સએપ ચેટમાંથી કરપાત્ર આવક ઘટાડવા માટે કેટલીક એન્ટ્રી થયાના પુરાવા મળ્યા છે.કેટલીક બેનામી પ્રોપર્ટીની પણ ઓળખ કરી છે. પુરાવાની પ્રાથમિક જાણકારી મુજબ કંપની ભંગાર માલનો રોકડમાં વેચાણ કરી તેનો હિસાબ રાખતી નહોતી. જે એકાઉન્ટના નિયમિત ચોપડાઓમાં એન્ટ્રી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments