Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા નગરપાલિકા વિસ્તારોમાં પડેલા ૪૮૯૩ ખાડા પુરવામાં આવ્યા

Webdunia
શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (10:25 IST)
આગામી નવરાત્રી પૂર્વે જરૂર લાગે તેવા તમામ માર્ગોને રિસરફેસ કરવામાં આવશેઃ રાજ્ય સરકાર
 
વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન પડેલા ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તત્કાલ રિપેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવેલા અભિયાન અંતર્ગત વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશનર  તાબા હેઠળની ૨૬ નગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી છે. આ નગરપાલિકા વિસ્તારોમાં પડેલા નાનામોટા ૪૮૯૩ ખાડાઓને પેચવર્ક કરીને પૂરવામાં આવ્યા છે.
 
નગરપાલિકા કમિશનરની કચેરીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ ઉક્ત બાબતની માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાની ડભોઇ નગરપાલિકામાં ૧૫૦, પાદરામાં ૩૫, સાવલીમાં ૫૭ અને કરજણમાં ૬૦ સહિત છોટા ઉદેપુર નગરપાલિકામાં ૨૦, આણંદમાં ૯૯૬, ખંભાતમાં ૨૬, બોરસદમાં ૩૩, પેટલાદમાં ૫૬, ઉમરેઠમાં ૩૭, કરમસદમાં ૧૦૨, આંકલાવમાં ૧૫૬, ઓડમાં ૨૪૩, બોરયાવીમાં ૭૪૫, સોજીત્રામાં ૯૫, ગોધરામાં ૪૮૦, હાલોલમાં ૭૮૦, કાલોલમાં ૪૬, શહેરામાં ૪૮, લુણાવાડામાં ૨૮, સંતરામપુરમાં ૫૭, બાલાસીનોરમાં ૩૯, દાહોદમાં ૬૧૫, ઝાલોદમાં ૫૭, દેવગઢ બારિયામાં ૨૬ સહિત કુલ ૪૮૯૩ ખાડાઓ પૂરવામાં આવ્યા છે. રાહદારીઓને કોઇ તકલીફ ના પડે એ માટે રાજ્ય સરકાર દ્વારા ઉક્ત કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે.
 
નગરપાલિકા કમિશનર પ્રશસ્તિ પારીકે ઉક્ત તમામ નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓને સુચના આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાંટમાંથી જરૂર લાગે તેવા તમામ શહેરી માર્ગોને નવરાત્રી પૂર્વે રિસરફેસ કરી નાખવા. આ કામગીરી માટે નગરપાલિકાની કક્ષા અનુસાર રાજ્ય સરકાર દ્વારા વિશેષ અનુદાન ફાળવવામાં આવ્યું છે. 
 
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ચોમાસા દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોમાં ક્ષતિ પામેલા માર્ગોની સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી સંબંધિત આરસીએમ કચેરીઓને ખાડાઓ પૂરવાની કામગીરી ઝડપથી કરવા માટે સૂચના આપી હતી. આ સમીક્ષા બેઠક દરમિયાન વડોદરા આરસીએમ કચેરી તાબા હેઠળની નગરપાલિકાઓ દ્વારા કરાયેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments