Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્યભિચારી પત્નીના આડાસંબંધોનો 14 વર્ષે ભાંડો ફૂટ્યો, 27 વર્ષની દિકરીની માતા પ્રેમી સાથે કરતી રહી ગુટર ગૂ

Webdunia
શનિવાર, 25 ડિસેમ્બર 2021 (13:13 IST)
રાજ્યમાં આડાસંબંધો અને એક્સ્ટ્રા મેરેટિયલ અફેરના કિસ્સાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આવા કિસ્સાઓના કારણે સમાજમાં અને રાજ્યમાં છૂટાછેડાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારેઅમદાવાદ શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમારા રુંવાડા ઉભા થઇ જશે. પતિને તેની પત્નીના બીજા સાથેના પ્રેમ પ્રકરણની જાણ લગ્નના 14 વર્ષ બાદ થઈ હતી.
 
અમદાવાદમાં 1993 ના વર્ષે એક યુવક અને યુવતીના લગ્ન થયા હતા. તેમના લગ્નને વર્ષો વીતી ગયા. દંપતીને હાલ 27 વર્ષની દીકરી અને 16 વર્ષનો દીકરો છે. પરંતુ વર્ષ 2007 ની આસપાસ એક યુવક પત્નીના સંપર્કમાં આવ્યો હતો. જેની ઓળખાણ પત્નીએ તેની બહેનપણીના પતિ તરીકેની આપી હતી. આ યુવકની દંપતીની ઘરમાં અવરજવર વધી ગઈ હતી. યુવકે ઘરના પ્રસંગોમાં પણ હાજરી આપતો થઈ ગયો હતો. પતિ જ્યારે પણ પત્નીને આ યુવક સાથે સંબંધો વિશે વાત કરતો તો તે કંઈ પણ કહેવાનુ ટાળી દેતી હતી. તેમજ પતિ સાથે આ યુવક મામલે ઝઘડો પણ કરતી હતી. આખરે પતિને શંકા જતા તેણે મહિલાને છૂટાછેટા આપ્યા હતા.
 
પતિને પોતાની પત્નીના લગ્નેતર સંબંધોની 14 વર્ષ બાદ જાણ થતાં તેણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. અત્રે મહત્વપૂર્ણ વાત એ છે કે પત્નીનો પ્રેમી ગેરમાર્ગે દોરી તાંત્રિક વિદ્યાના નામે 90 દિવસ તેના ઘરમાં જ રહ્યો અને પતિની ગેરહાજરીમાં શારિરીક સંબંધ બાંધતો હતો.
 
આ અંગે અરજદારના વકીલે જણાવ્યું કે પતિએ પત્નીના વ્યભિચારી વર્તનથી ત્રસ્ત થઈ પતિ મહેશભાઈએ પત્નીથી દૂર થવા માટે છૂટા છેડાની અરજી કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments