Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં મેઘમહેર, સીઝનનો 59 ટકા વરસાદ નોંધાયો, આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી

Webdunia
શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (11:02 IST)
રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે, હાલ અમદાવાદ, વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે.   છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાઓના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
 
જ્યારે જામનગર,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
 
છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો વડોદરામાં સૌથી વધુ 3.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 જેટલા તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં સીઝનનો 61 ટકા, ઉત્તર ગુજરાતમાં 51 ટકા, મધ્ય ગુજરાતમાં 50 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 64 ટકા જેટલો વરસાદ પડ્યો છે.
 
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં લોપ્રેશર સિસ્ટમ તેમજ રાજ્યને અડીને આવેલા અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે…તો સૌરાષ્ટ્રના શહેરો સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને બોટાદમાં પણ ભારેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે.
જ્યારે જામનગર,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments