Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની અફવા ઉડી

Webdunia
સોમવાર, 18 મે 2020 (19:24 IST)
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે એવો પત્ર વાયરલ થયો છે. કોઈ ટિખ્ખળખોરોએ સોશિયલ મીડિયામાં આ પ્રકારનો પત્ર વાયરલ થયો છે. આ અંગે બોર્ડના ચેરમેન એ.જે. શાહે ખુલાસો કર્યો હતો કે આ પ્રકારે આવતીકાલે કોઈ પરિણામ જાહેર થવાનું નથી.ઉપરોક્ત લખાણ વાળો ખોટો પત્ર કોઈ અસામાજિક તત્વએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જોકે, આ મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્ચમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે જણાવ્યું કે આ પ્રકારે કોઈએ અફવા ફેલાવી છે. હાલમાં અમારી કોઈ તૈયારી નથી. અમારી પાસે પૂરતો મેન પાવર નથી અમે રિઝલ્ટ જાહેર કરવાની કોઈ વિચારણ કરી રહ્યા નથી. એ.જે,. શાહે વિદ્યાર્થીઓને સંબોધતા એક ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ પ્રકારે કોઈએ અફવા ઉડાડી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા હજુ જૂન સુધીનો સમય વિતી જશે.શનિવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ એવી ચર્ચા હતી કે ધોરણ 12.00 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. અચાનક સોમવારે સાંજે સોશિયલ મીડિયામાં એક ખોટો લેટર ફરતો થયો હતો. આ લેટરના કારણે અસમંજસનું વાતાવરણ ઉભું થયું હતું જોકે તે ખોટો હોવાનું સાબિત થયું હતું.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments