Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં માત્ર 12 વર્ષના કિશોરે સંબંધીની 8 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું

Webdunia
શનિવાર, 2 માર્ચ 2024 (16:36 IST)
- .માત્ર 12 વર્ષના કિશોરે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું 
-  કિશોરે બાળકીને ઝૂંપડામાં લઈ જઈ માર મારી તેની પર દુષ્કર્મ ગુજાર્યું
- કિશોરે બાળકીને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી


સુરતમાંથી વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે. માત્ર 12 વર્ષના કિશોરે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કાકા-કાકી સાથે રહેતી માત્ર 8 વર્ષની બાળકી સાથે નજીકમાં રહેતા સંબંધીના 12 વર્ષના કિશોરે દાનત બગાડી હતી. કિશોરે બાળકીને ઝૂંપડામાં લઈ જઈ માર મારી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને લોહીલુહાણ કરી નાખી હતી. જેને લઈ કિશોરે બાળકીને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જોકે, બાળકીને તેના કાકા-કાકીએ લોહી નીકળતા જોઈ પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો.

બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે કિશોર સામે ફરિયાદ નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.મૂળ એમપીના જોળવા ખાતે રહેતા પતિ-પત્ની તેની આઠ વર્ષની ભત્રીજીને લઈ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. ગઈકાલે સવારે 10થી બપોરના 12:30 વાગ્યાના અરસામાં આઠ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે તેના ઘરની પાસે ઝૂંપડામાં રહેતા તેના સંબંધિત 12 વર્ષના કિશોરે બાળકી પર દાનત બગાડી હતી. હવસખોર કિશોરે બાળકીને પોતાના ઝૂંપડામાં લઈ જઈ તેને માર મારી ડરાવી ધમકાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.આ દરમિયાન બાળકીના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ બાળકીને લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું. આ ઉપરાંત બાળકીને માર મારતા પણ તેને શરીરે વાગ્યું હતું અને બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. જેથી કિશોર પણ ગભરાય ગયો હતો અને આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

જહાંગીરપુરા પોલીસે બાળકીના કાકા-કાકીની પોલીસ ફરિયાદને આધારે 12 વર્ષના કિશોરને તાત્કાલિક અટકાયત કરી તેની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અરવિંદ કેજરીવાલ 2 દિવસ પછી સીએમ પદેથી રાજીનામું આપશે, હવે મનીષ સિસોદિયાને લઈને કરી મોટી જાહેરાત

કર્ણાટકમાં BJP MLA મુનીરથ્ના પર ક્રેકડાઉન; ધાકધમકી આપતા કોન્ટ્રાક્ટરની અટકાયત

Bihar fire- બિહારના પટનામાં ભીષણ આગની ઘટના; હોટેલ બળીને ખાખ થઈ ગઈ, કાળા ધુમાડાના ગોટેગોટા જોઈ લોકો ચોંકી ઉઠ્યા

ભાવનગર સામાન્ય બાબતે તબીબ પર હુમલો કર્યો.

Video શું છે વિચિત્ર ચહેરાવાળા બાળકનું સત્ય, જાણો શિવપુરીમાં બકરીએ અનોખા બાળકને જન્મ આપ્યો

આગળનો લેખ
Show comments