Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં એક વર્ષમાં 1166 બાળકોના ન્યૂમોનિયાથી મૃત્યુ : દેશમાં પાંચમાં સ્થાને

Webdunia
સોમવાર, 9 માર્ચ 2020 (12:43 IST)
ગુજરાતમાંથી છેલ્લા 1 વર્ષમાં 1166 બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થયા છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના સૌથી વધુ બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થતા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પાંચમાં સ્થાને છે. આ ઉપરાંત છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 3023 બાળકો ન્યુમોનિયા સામે પોતાનું જીવન ગુમાવી ચૂક્યા છે.ગુજરાતમાંથી નાણાકીય વર્ષ 2016-17માં 520, 2017-18માં 1337 અને 2018-19માં 1166 બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થયા છે. આમ, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 1 હજારથી વધુ બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થયા છે. સમગ્ર દેશમાંથી પાંચ વર્ષથી ઓછી ઉંમરના કેટલા બાળકો ન્યુમોનિયાને કારણે પોતાનું જીવન ગુમાવે છે તેવો લોકસભામાં કરવામાં આવેલા સવાલના ઉત્તરમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ ખુલાસો કરાયો છે. વર્ષ 2010-2013ના સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ રિપોર્ટ અનુસાર ન્યુમોનિયા સામે ભારતમાં બાળ મૃત્યુદર 17.1% છે. વર્ષ 2015-16ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 અનુસાર ભારતમાં શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં બાળકોને ન્યુમોનિયા થવાનું પ્રમાણ વધારે છે. ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રમાણ 2.9% જ્યારે શહેરી વિસ્તારમાં 2.3% છે.  વર્ષ 2018-19માં જે રાજ્યોમાં ન્યુમોનિયાથી બાળકોના સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મધ્ય પ્રદેશ 1977 સાથે મોખરે, પશ્ચિમ બંગાળ 1575 સાથે બીજા અને ઓડિશા 1262 સાથે ત્રીજા સ્થાને છે.છેલ્લા 3  વર્ષની સરેરાશને આધારે ગુજરાતમાંથી પ્રતિ વર્ષે 1007 બાળકોના ન્યુમોનિયાથી મૃત્યુ થયા છે. બીજી તરફ સમગ્ર દેશમાં વર્ષ 2016-17માં 10015, વર્ષ 2017-18માં 16282 અને વર્ષ 2018-19માં 14949 બાળકોએ ન્યુમોનિયા સામે જીવન ગુમાવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

Animal Viral Video: ચમત્કારી ગાય! દુકાન માલિકએ જણાવ્યુ કેવી રીતે ગૌ માતાની કૃપા વરસે છે

પીએમ મોદી ગુજરાતમાં સૂર્ય ઘર યોજનાના લાભાર્થી સાથે કરી વાત, તમે પણ જાણી લો આ યોજનાનો લાભ લેવા શુ કરવુ ?

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

આગળનો લેખ
Show comments