Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાર્કિંગની પળોજણ વચ્ચે ખેલૈયાઓ આજથી ગરબે ઘૂમશે

Webdunia
બુધવાર, 10 ઑક્ટોબર 2018 (12:10 IST)
નવરાત્રિનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે તલપાપડ બન્યા છે. જોકે, અમદાવાદમાં આ વખતે નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઘૂમશે ત્યારે તેમને પોતાના વાહનના પાર્કિંગની પળોજણ પણ સતાવશે.પાર્કિંગની સમસ્યને પગલે આ વખતે ક્લબ, પાર્ટી પ્લોટમાં દર વખતની સરખામણીએ ઓછા ખેલૈયાઓ જોવા મળી શકે છે.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની અનેક ક્લબોએ નવરાત્રિ માટે દર વર્ષની સરખામણીએ આ વખતે ઓછા પાસ જારી કર્યા છે. રાજપથ ક્લબે આ વખતે ગરબા દરમિયાન ૪ હજાર લોકોની જ મર્યાદા રાખી છે અને તેમાં ક્લબના મેમ્બર્સ-ગેસ્ટ્સને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. ગત વર્ષે રાજપથ ક્લબમાં દરરોજ ૧૦ હજાર લોકો ગરબામાં આવતા હતા, જેની સરખામણીએ આ વખતે સંખ્યા ઓછી જોવા મળશે. બીજી તરફ કર્ણાવતી ક્લબે કુલ ૧૬૦૦ કારના પાર્કિંગ માટે વ્યવસ્થા કરી છે. કાર પાર્કિંગની વ્યવસ્થા માટે બે પ્લોટ પણ ભાડે રાખેલા છે. આ વખતે ટ્રાફિક પોલીસના કડક અભિગમ, પાર્કિંગની મર્યાદિત જગ્યાને પગલે અનેક ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે કેબ સર્વિસનો પણ વધારે ઉપયોગ કરી શકે છે. નવરાત્રિ દરમિયાન આ વખતે અનેક શાળા-કોલેજમાં  વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments