Webdunia - Bharat's app for daily news and videos

Install App

મણિપુરમાં હિંસા: કેમ્પ પર હુમલો, ફાયરિંગમાં બેના મોત, બે ઘાયલ

Webdunia
મંગળવાર, 30 જાન્યુઆરી 2024 (22:54 IST)
manipur news
 મણિપુરના કાંગપોકપી જિલ્લામાં મંગળવારે એક કેમ્પ પર અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા બે ગ્રામીણ સ્વયંસેવકો માર્યા ગયા અને બે ઘાયલ થયા. પોલીસે આ માહિતી આપી હતી. આ ઘટના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાને અડીને આવેલા લમશાંગ વિસ્તારમાં કડાંગબંદ ગામ નજીક સ્થિત કેમ્પમાં બની હતી.  એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "કેટલાક અજાણ્યા બંદૂકધારીઓના હુમલા પછી, ગામના સ્વયંસેવકોએ વળતો જવાબ આપ્યો, જેના પરિણામે ગામના બે સ્વયંસેવકોના મોત થયા જ્યારે બે ઘાયલ થયા. જવાબી કાર્યવાહી પછી, પીછેહઠ કરી રહેલા હુમલાખોરો ફરી એકઠા થયા અને ફરીથી હુમલો કર્યો. ગોળીબાર ચાલુ છે."
 
તેમણે કહ્યું કે ગોળીબાર શરૂ થયા બાદ કડાંગબંદ અને પડોશી કૌત્રુક ગામોની ઘણી મહિલાઓ, બાળકો અને વૃદ્ધ લોકો સુરક્ષિત વિસ્તારો તરફ ભાગી ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાના સુરક્ષા કર્મચારીઓને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. ઘાયલ વ્યક્તિને ઈમ્ફાલ રિજનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં લઈ જવામાં આવ્યો છે. 
 
કૌત્રુક અને કદાંગબંદ ગામ ચાલી રહેલ જાતીય હિંસાથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે, સશસ્ત્ર જૂથો વચ્ચે અનેકવાર ગોળીબાર થયો છે. ગયા વર્ષે મે મહિનામાં રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં 180 થી વધુ લોકો માર્યા ગયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments