Publish Date: Sun, 17 Nov 2024 (09:16 IST)
Updated Date: Sun, 17 Nov 2024 (09:45 IST)
Manipur Violence case : મણિપુરમાં ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણના મૃતદેહ એક નદી પાસે મળ્યાના એક દિવસ પછી, શનિવારે વિરોધીઓએ ત્રણ રાજ્ય મંત્રીઓ અને છ ધારાસભ્યોના નિવાસસ્થાનો પર હુમલો કર્યો, જેના પગલે સરકારે પાંચ જિલ્લામાં અનિશ્ચિત કર્ફ્યુ લાદ્યો. આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે દેખાવકારોએ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના જમાઈ સહિત છમાંથી ત્રણ ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેમની મિલકતોને આગ લગાડવામાં આવી હતી, જ્યારે સુરક્ષા દળોએ ઈમ્ફાલના જુદા જુદા ભાગોમાં વિરોધીઓને વિખેરવા માટે ટીયરગેસનો ઉપયોગ કર્યો હતો.
મીડિયા અહેવાલો અનુસાર, ઇમ્ફાલ પશ્ચિમ પોલીસ અધિક્ષક મેઘચંદ્રએ કહ્યું કે હિંસાને જોતા મણિપુરમાં કર્ફ્યુ અને ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.