Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કર્નલ સોફિયા કુરેશી પર ટિપ્પણી કરનાર વિજય શાહે કહ્યું, 'દિલથી માફી માગું છું

Vijay Shah
, ગુરુવાર, 15 મે 2025 (15:35 IST)
મધ્ય પ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિશે કરેલી વાંધાજનક ટિપ્પણી પર માફી માગી છે.
 
એમપીના જનજાતિ કાર્યમંત્રી વિજય શાહે કહ્યું કે, "તાજેતરમાં મારા એક નિવેદનના કારણે સમાજના લાગણી દુભાઈ છે. તેમના માટે હું દિલથી શરમ અનુભવું છું, દુખી છું અને માફી માગું છું."
 
તાજેતરમાં કર્નલ કુરેશી ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે તેમણે ભારતીય સેનાના 'ઑપરેશન સિંદૂર' વિશે વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ અને ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે પત્રકારપરિષદ યોજી હતી.
 
વિજય શાહે સોફિયા કુરેશીને દેશનાં બહેન ગણાવીને કહ્યું કે, "તેમણે રાષ્ટ્રધર્મ નિભાવીને જાતિ અને સમાજથી આગળ જઈને કામ કર્યું છે."
 
તેમણે કહ્યું કે, "તેઓ અમારાં સગાં બહેન કરતાં પણ વધુ સન્માનનીય છે."
 
વિજય શાહે કહ્યું કે, "તાજેતરના ભાષણમાં મારી ઇચ્છા હતી કે કર્નલ સોફિયાની વાતને સારી રીતે સમાજ વચ્ચે રાખી શકું. પરંતુ 'દુખી અને વિચલિત' મને કેટલાક ખરાબ શબ્દો નીકળી ગયા."
 
"આજે હું સ્વયં શરમ અનુભવું છું. આખા સમાજ અને સમુદાયની માફી માગું છું. સોફિયા બહેન અને દેશની સન્માનનીય સેનાનું હંમેશાંથી સન્માન કરું છું અને હાથ જોડીને માફી માગું છું."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હરિદ્વારના પ્રખ્યાત મંદિરના મહંતની ધરપકડ, મહિલા સાથે શરમજનક કૃત્ય કર્યું હતું