Publish Date: Mon, 20 Apr 2026 (11:36 IST)
Updated Date: Mon, 20 Apr 2026 (11:46 IST)
જમ્મુ-કાશ્મીરના ઉઘમપુર જીલ્લાના રામનગર કઘોટ વિસ્તારમાં એક પેસેંજર બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ દુર્ઘટનામાં 15 લોકોના મોતના સમાચાર છે. બીજી બાજુ અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે વહીવટી ટીમ પહોંચી ગઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત થયો ત્યારે બસ રામનગરથી ઉધમપુર જઈ રહી હતી. હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે વિગતવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ ઘટના વિશે માહિતી શેર કરી. તેમણે લખ્યું, "ઉધમપુરના ડીસી મિંગા શેરપા સાથે હમણાં જ વાત કરી. મને ખબર પડી કે એક કલાક કરતા પણ ઓછા સમય પહેલા કનોટ ગામમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રામનગરથી ઉધમપુર જતી જાહેર પરિવહન બસનો સમાવેશ થાય છે.
બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. અનેક જાનહાનિ થવાની આશંકા છે. શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવશે. ગંભીર રીતે ઘાયલોને એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હું સ્થાનિક વહીવટીતંત્ર તેમજ રાજિન્દર શર્માના નેતૃત્વમાં અમારી સ્થાનિક કાર્યકરોની ટીમ સાથે સતત સંપર્કમાં છું.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે....
વધુ વાંચો