Publish Date: Tue, 19 Nov 2024 (09:34 IST)
Updated Date: Tue, 19 Nov 2024 (09:36 IST)
Tirupati Darshan- આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શનની પ્રક્રિયામાં હવે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ (TTD) એ નિર્ણય લીધો છે કે ભક્તોને હવે માત્ર 2 કલાકમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરાવવામાં આવશે.
મંદિરમાં ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં દરરોજ લગભગ 1 લાખ ભક્તો આવે છે અને દર્શન માટે 20 થી 30 કલાક સુધી રાહ જોવી પડે છે.
નવી સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી દર્શન પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બનાવી શકાય. બોર્ડના સભ્ય જે શ્યામલા રાવના જણાવ્યા અનુસાર, VIP દર્શનનો ક્વોટા નાબૂદ કરવામાં આવશે જેથી કરીને કોઈપણ પ્રકારનો વિવાદ ન થાય.