Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે રાત્રે ગુજરાતના જામનગરમાં લૈંડ થશે ફ્રાંસથી ભારત આવી રહેલા ત્રણ વધુ ફાઈટર જેટ રાફેલ, વધશે વાયુસેનાની તાકત

Webdunia
બુધવાર, 13 ઑક્ટોબર 2021 (23:19 IST)
ચીન સાથે ચાલી રહેલા સૈન્ય વિવાદ વચ્ચે ભારતીય વાયુસેના (IAF) ને વધુ તાકત મળવા જઈ રહી છે. ત્રણ વધુ રાફેલ લડાકૂ વિમાનો (Rafale fighter planes)નો જથ્થો ફ્રાંસથી અટક્યા વગર બુધવારે એટલે કે આજે ગુજરાતના જામનગર(Jamnagar of Gujarat)માં લેંડ કરશે. ત્રણ નવા ફાઇટર જેટ રાફેલની સંખ્યાને કુલ 36માંથી 29 સુધી વધારી દેશે, જેને ભારતે 2016માં 60,000 કરોડ રૂપિયાના સૌદાના ભાગરૂપે ઓર્ડર કર્યો હતો. 
 
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે તે જામનગર એરપોર્ટ પર ઉતરશે. આ મહિનાની શરૂઆતમાં એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ એર સ્ટાફના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આ રાફેલ ફ્રાન્સથી પ્રથમ આવનાર છે. ફ્રાન્સથી આવતા વિમાનોને અંબાલામાં ગોલ્ડન એરો સ્ક્વોડ્રોન અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં 101 સ્ક્વોડ્રોન વચ્ચે વહેંચવામાં આવશે.
 
કુલ 36 વિમાનો માટે થઈ છે સમજૂતી 
 
કેન્દ્રએ લગભગ 58,000 કરોડના ખર્ચે 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર 2016 માં ફ્રાંસ સાથે આંતર-સરકારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ગયા વર્ષે 29 જુલાઇએ પાંચ રાફેલ વિમાનોનો જથ્થો ભારત પહોંચ્યો હતો. 
 
આગામી ત્રણ રાફેલ જેટ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયે ભારત પહોંચવા તૈયાર છે અને 26 જાન્યુઆરી સુધીમાં તે ઓપરેશનલ સ્ક્વોડ્રનમાં સામેલ થઈ જશે. યોજના મુજબ, 36માં અને અંતિમ રાફેલમાં વિશેષ સંવર્ધનનો સમાવેશ થશે જે તેને વધુ ઘાતક અને કાબેલ બનાવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments