Publish Date: Thu, 14 Nov 2019 (09:41 IST)
Updated Date: Thu, 14 Nov 2019 (10:33 IST)
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે શનિવારે કન્નૂરમાં ભાજપા ઓફિસનુ ઉદ્દઘાટંન કર્યુ. આ દરમિયાન તેમણે સબરીમાલા મંદિરનો મુદ્દો ઉઠાવતા કેરલ સરકાર પર હુમલો બોલ્યો. શાહે કહ્યુ કે કન્નૂરમાં 120 કાર્યકર્તાઓએ બલિદાન કર્યુ. તેમના આ બલિદાનને અમે વ્યર્થ નહી જવા દઈએ.
ભાજપા અધ્યક્ષે દાવો કર્યો કે દેશમાં અમારી વિચારધારાની જીત ચોક્કસ થશે. ભાજપા કેરલના ભક્તો સાથે શીલા ની જેમ અડગ ઉભી છે. અયપ્પાના ભક્તોનુ દમન થઈ રહ્યુ છે. કોર્ટ એવો આદેશ આપે જેનુ પાલન થઈ શકે.
ઉલ્લેખનીય છે કે શાહની યાત્રા પાર્ટીના આંદોલનના કારણે પણ થઈ. જ્યા હાઈકોર્એ પોતાના નિર્ણયમાં સબરીમાલામાં ભગવાન અયપ્પા મંદિરમાં બધી વયની મહિલાઓના પ્રવેશની મંજુરે આપી હતી. જ્યા સદીઓ જૂની પરંપરા મુજબ 10થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશની મંજુરી નથી.