Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sangli Murder Case: ખાવામાં ઝેર નાખીને તાંત્રિકે કરી 9 લોકોની હત્યા, શરૂઆતી તપાસમાં પોલીસ માની રહી હતી સુસાઈડ

Webdunia
મંગળવાર, 28 જૂન 2022 (13:33 IST)
Sangli Murder Case: મહારાષ્ટ્રના સાંગલી જીલ્લામાં સોમવારે 20 જૂનના રોજ બે ભાઈઓના પરિવારના નવ સભ્યોના મોતના મામલે પોલીસે એક નવો ખુલાસો કર્યો છે. પોલીસે આ મામલાને આત્મહત્યા નહી પણ હત્યા ગણાવી છે.  
 
પોલીસે કહ્યુ છે કે શરૂઆતની તપાસમાં જાણ થઈ છે કે આ હત્યા પૈસા માટે કરવામાં આવી હતી. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે. સાંગલી પોલીસે સોમવારે 27 જૂનના રોજ બતાવ્યુ કે મામલામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ પહેલા આને આત્મહત્યાનો મામલો માનવામાં આવી રહ્યો હતો. 

<

Maharashtra | 2 people arrested in connection with the death of 9 people (members of the same family) in Mhaisal village on June 20. During probe, it was found that these 2 people had mixed some toxic substances in the food. So it's not a case of suicide but of murder: SP Sangli pic.twitter.com/XGo8BTqDo4

— ANI (@ANI) June 27, 2022 >
બંને પરિવારના ભોજનમાં ભેળવ્યુ હતુ ઝેર 
 
સિંગલી જિલ્લાના એસપી દીક્ષિત ગેડમે જણાવ્યું કે હત્યાના સંબંધમાં એક તાંત્રિક અને તેના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. કેસની તપાસ બાદ જાણવા મળ્યું કે બંને આરોપીઓએ પરિવારના નવ સભ્યોની હત્યા કરી છે. બંનેએ પરિવારના ભોજનમાં ઝેર ભેળવ્યું હતું, જેના કારણે બધાના મોત થયા હતા. જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
 
ઉલ્લેખનીય છે કે 20 જૂન, સોમવારના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી. સાંગલીના મિરાજના અંબિકાનગરમાં એક ઘરની અંદરથી 9 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતદેહો માણિક વનમોર અને પોપટ વનમોર નામના બે સાચા ભાઈઓના પરિવારના હતા.
 
શરૂઆતી તપાસમાં શરીર પર ન મળ્યા જખમના નિશાન 
 
પોલીસએન શરૂઆતી તપાસમાં જાણ થઈ હતી કે કોઈના શરીર પર જખમના નિશાન હતા. પહેલા તો પોલીસને આ મામલાને આત્મહત્યા માનીને ચાલી રહી હતી. જો કે પોલીસને કોઈ સુસાઈડ નોટ નહોતી મળી. આગળની તપાસ પછી પોલીસે મર્ડર એંગલ પર તપાસ શરૂ કરી હતી. જ્યારબાદ પોલીસને સફળતા મળી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments