Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝારખંડ - દેવઘરમાં તૂટ્યુ રોપ-વેનુ દોરડુ, એક મહિલાનુ મોત અને 12 ઘાયલ, 50થી વધુ લોકો ફંસાયા બચાવ કાર્ય ચાલુ

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2022 (12:31 IST)
ઝારખંડના દેવઘરમાં સ્થિત ત્રિકુટ પર્વત પર રવિવારે એક મોટી દુર્ઘટના થઈ જ્યારે રોપ-વેનો રસ અચાનક તૂટી ગયો. જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 12 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ 50 લોકો ફસાયા હોવાની આશંકા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ બચાવ કાર્ય કરી રહી છે. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે અને હજુ પણ ઘણા લોકો લાપતા છે.
<

Two Mi-17 helicopters are involved in rescue operations in Deoghar district of Jharkhand where several people are stuck in a ropeway trolley due to a mishap. The operations are still on: Indian Air Force officials

— ANI (@ANI) April 11, 2022 >
ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર  ત્રિકુટી પર્વત પહોંચી ગયું છે. આ સાથે ITBP, ભારતીય સેના અને NDRFની ટીમ ત્રિકૂટ પર્વત પર પહોંચી ગઈ છે. ફસાયેલા તમામ પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે ટ્રોલીમાંથી નીચે લાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
<

देवघर में हुए त्रिकूट रोप वे दुर्घटना में घायल परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूँ । मुख्यसचिव झारखंड सरकार व केन्द्रीय गृह मंत्री @narendramodi @AmitShah @DCDeoghar @NDRFHQ

1/2 pic.twitter.com/uAvkQomBoD

— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 10, 2022 >
 
ડેપ્યુટી કમિશનરે લોકોને અફવા ન ફેલાવાની અપીલ કરતા કહ્યું કે, સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કેટલાક લોકો હજુ પણ રોપ-વેમાં કેબલ કારોમાં ફસાયેલા છે અને તેમને બચાવવામાં આવી રહ્યા છે. તમામ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે.
 
બીજી તરફ દેવઘરમાં થયેલા ત્રિકૂટ રોપ-વે દુર્ઘટના પર સાંસદ નિશિકાંત ડૂબેની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, તેઓ ત્રિકૂટ રોપ-વે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે
 
દેવઘરના ત્રિકૂટ રોપ-વે પર રવિવારથી ફસાયેલા લોકોને કાઢવા માટે એનડીઆરએફની ટીમ ઉપરાંત સેનાના જવાનો પણ પહોંચ્યા છે. હેલિકોપ્ટર દ્વારા મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments