Publish Date: Fri, 04 Oct 2024 (12:04 IST)
Updated Date: Fri, 04 Oct 2024 (12:12 IST)
કોલકત્તાના આરજી કર હોસ્પીટલમાં દુષ્કર્મનો શિકાર થઈ ટ્રેની ડાકટ્રની એક મૂર્તિ લગાવવા પર વિવાદ ઉભો થઈ ગયુ છે. તે મૂર્તિનુ નામ ક્રાઈ ઑફ દ ઑવર કળાકાર આસિત સાઈનના મુજબ આ મૂર્તિ પીડિતાના અંતિમ સમયના દુખ અને આતંકને દર્શાવે છે.
આ મૂર્તિમાં એક મહિલાને રડતી દર્શાવવામાં આવી છે. આર.જી. કરના પ્રિસિંપલના ઑફિસ પાસે રાખી છે. પરંતુ હવે આ પ્રતિમાને લઈને વિવાદ શરૂ થયો છે. ટ્રેની ડોક્ટરની પ્રતિમા સ્થાપિત કરવા પર સોશિયલ
મીડિયા પર ઘણા લોકોએ તેને 'સંવેદનશીલ' ગણાવ્યું છે. એક યુઝરે ટ્વીટ કર્યું, 'આ કેટલું અસંવેદનશીલ છે 'જો તમારે પીડિતાની પ્રતિમા સ્થાપિત કરવી હોય તો તેને દુખી ચહેરા અથવા કંઈપણ વગર તે કરો.
આ અત્યંત દુખી કરનારુ છે. એક યુઝરે લખ્યું, .કોઈના દુઃખને અમર બનાવવું. આશા કરુ છુ કે આ પ્રતિમાનો નાશ થવો જોઈએ. ટીએમસી નેતાએ પણ સવાલો ઉઠાવ્યા હતા ટીએમસીના નેતા કુણાલ ઘોષે પણ ડોકટરોની ટીકા કરતા કહ્યું કે પીડિતનું નામ અને ઓળખ જાહેર કરવી તે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાની વિરુદ્ધ છે. તેણે ટ્વિટ કર્યું, 'કોઈ પણ જવાબદાર વ્યક્તિ આવું ન કરી શકે. કળાના નામે પણ નહીં.
જો કે, આરજી કાર હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું, 'અમે કોઈ નિયમ તોડ્યા નથી કે કોર્ટના આદેશની અવગણના કરી નથી. આ એક પ્રતીકાત્મક શિલ્પ છે. અમે અધિકારીઓ શું થયું અને તેણે કેટલી પીડા સહન કરી તે બતાવવા માંગે છે. અમે ન્યાય માટે લડતા રહીશું.