Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીએ લૉન્ચ કરી અટલ ભૂજલ યોજના, ખેડૂતો-યુવાઓને આપ્યો પાણી બચાવવાનો મંત્ર

Webdunia
બુધવાર, 25 ડિસેમ્બર 2019 (16:34 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જંયતિ પ્રસંગે 'અટલ ભૂજલ યોજના'ની શરૂઆત કરી છે. આ યોજના માટે સરકારે 6 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અટલ ભૂજલ યોજનાનો લાભ છ રાજ્યોને મળશે. અટલ ભૂજલ યોજનામાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સામેલ છે. કેન્દ્ર સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ 8,350 ગામડાઓને મળશે.
 
 દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ યોજનાની શરૂઆત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જળ જીવન મિશન દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું કામ કરશે, અટલ જળ યોજના એ ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપશે જ્યાં ગ્રાઉન્ડ વોટર ખૂબ નીચે ગયું છે અથવા તો ઝડપથી નીચે જઇ રહ્યું છે. આ અવસર પર તેમણે હિમાચલને લેહ-લદ્દાખ સાથે જોડનાર રોહતાંગ ટનલનું નામ અટલ ટનલ કરવાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ ટનલ સુરાક્ષાની સાથો સાથ ટુરિઝમની દ્રષ્ટિથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં કયારેય વિચાર્યું નહોતું કે અટલજીના સપનાને તેમના નામથી જોડવાનો મને સૌભાગ્ય મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments