Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સરકારની નવી કેબિનેટમાં આ કદાવર નેતાઓને ન મળ્યુ સ્થાન, જુઓ લિસ્ટ

Webdunia
શુક્રવાર, 31 મે 2019 (11:10 IST)
પ્રધાનમંત્રીના રૂપમાં નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ગુરૂવારે બીજી વાર શપથ લીધી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind)એ પીએમ મોદી (PM Modi)ને પદ અને ગોપનીયતાની શપથ અપાવી. પીએમ મોદી સાથે રાજનાથ સિંહ , અમિત શાહ, નિતિન ગડકરી અને નિર્મલા સીતારમણ સહિત તમામ નેતાઓએ પણ મંત્રી પદની શપથ લીધી. જોકે આ વખતે અનેક દિગ્ગજ નેતાઓને પીએમ મોદીની નવી કેબિનેટમાં સ્થાન ન મલ્યુ. શપથ ગ્રહણ સમારંભ પહેલા એવા અનુમાન લગાવી રહ્યા હતા કે આ દિગ્ગજ મોદી સરકારનો ભાગ રહેશે. 
 
અરૂણ જેટલી: નવી કેબિનેટમાં પૂર્વ નાણાકીય મંત્રી અરુણ જેટલીનો સમાવેશ થયો નથી. તેમણે પોતાના સ્વાસ્થ્યને લઈને આ અંગે પહેલા જ મોદીજીને ટ્વિટર પર જણાવી દીધુ હતુ.  અરૂણ જેટલી એ તબિયતનો હવાલો આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મંત્રીપદની જવાબદારી નહીં આપવાની અપીલ કરી હતી કે તેઓ  જવાબદારી લેવા માંગતા નથી. 
 
સુષ્મા સ્વરાજ: 2014મા કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બની તો સુષ્મા સ્વરાજને વિદેશ મંત્રાલય સોંપ્યું. સુષ્માએ છેલ્લાં પાંચ વર્ષમાં શાનદાર રીતે કામ કર્યું. લોકો સીધા ટ્વિટર પર સુષ્મા પાસે મદદ માંગતા હતા અને વિદેશ મંત્રી મદદ માટે હાજર રહેતા હતા. પરંતુ આ સરકારમાં સુષ્મા સામેલ થયા નથી. જો કે તેમણે તબિયતનો હવાલો આપી પહેલાં જ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેથી તેમને પણ નવી સરકારમાં લેવામાં આવ્યા નથી. 
 
રાજ્યવર્ધન સિંહ રાઠોડ: પૂર્વ ઓલિમ્પિયન અને રમત અને માહિતી-પ્રસારણ મંત્રાલયનો સફળતાપૂર્વક કાર્યભાર સંભાળનાર રાઠોરને પણ મંત્રીપરિષદમાં સામેલ કરાયા નથી.
 
મેનકા ગાંધી: મેનકા ગાંધી સુલ્તાનપુર લોકસભા સીટ પરથી જીતીને સંસદ પહોંચ્યા છે, પાછલી ચૂંટણીમાં મેનકા પીલીભીતથી જીતીને આવ્યા હતા અને તેમને કેન્દ્રીય મંત્રી બનાવામાં આવ્યા હતા. પરંતુ આ સરકારમાં મેનકા ગાંધીને જગ્યા મળી શકી નથી.
 
જે.પી.નડ્ડા: મોદી સરકારના પાછલા કાર્યકાળમાં નડ્ડા સ્વાસ્થ્ય મંત્રી હતા અને આ વખતે તેમનું નામ પણ મંત્રીઓની યાદીમાં સામેલ નહોતું. જો કે એ વાતનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે તેઓ અમિત શાહની જગ્યાએ ભાજપના અધ્યક્ષ બની શકે છે.
 
સુરેશ પ્રભુ: પાછલી સરકારમાં સુરેશ પ્રભુને પહેલાં કેન્દ્રીય રેલવેમંત્રી બનાવ્યા હતા બાદમાં તેમને વાણિજય અને ઉદ્યોગમંત્રી બનાવ્યા હતા. પરંતુ નવી સરકારમાં સુરેશ પ્રભુને જગ્યા મળી નથી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments