Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુષ્કર્મ કેસમાં કોર્ટે નારાયણસાંઈને જનમટીપની સજા ફટકારી

Webdunia
મંગળવાર, 30 એપ્રિલ 2019 (17:39 IST)
દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા નારાયણ સાંઇને કોર્ટે આજીવન કેદની સજા સાથે જ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ નહીં ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારવામાં આવશે.જ્યારે ગંગા જમનાને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ નારાયણ સાંઇને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જે બાદમાં કોર્ટ રૂમમાં સરકારી અને નારાયણ સાંઇના વકીલો વચ્ચે સજા માટે દલીલો શરૂ થઈ હતી.નારાયણ સાંઇ સહિત પાંચ લોકોને 26મી એપ્રિલના રોજ બળાત્કાર કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ સજા માટે 30મી એપ્રિલ તારીખ જાહેર કરવામાં આવી હતી. કેસ અંગે વિગત આપતા સરકારી વકીલ જણાવ્યું હતું કે, આ કેસમાં સાંઈ ઉપરાંત તેના મદદગાર ગંગા, જમના, હનુમાન અને રમેશ રાજકુમાર મલ્હોત્રાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. સરકાર તરફથી 53 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા, જ્યારે સામે પક્ષે 43 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં હજારો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા.સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે નારાયણ સાંઈ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 C, 377, 354, 323, 504, 506, 120 B, અને 114 લગાડવામાં આવી છે. ગંગા અને જમના સામે કલમ 120 પ્રમાણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. ગંગા-જમનાને પણ મુખ્ય આરોપી જેટલી જ સજા ફટકારવામાં આવશે. સાંઈને જે કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાં ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ ઉંમરકેદની સજાની જોગવાઈ છે.ગંગા અને જમના નારાયણ સાંઈની મુખ્ય મદદગાર હતી. બંને સામે પણ મુખ્ય આરોપી સાંઈ જેટલો જ ગુનો લાગશે. નારાયણ સાંઈ જે યુવતીને પસંદ કરતો તેનું બ્રેઇનવોશ કરવાનું કામ ગંગા અને જમના કરતી હતી. એટલું જ નારાયણ સાંઈ સામે ફરિયાદ આપનારી પીડિત યુવતી જ્યારે પોતાના ઘરે જવા માંગતી હતી ત્યારે ગંગા અને જમનાએ તેને રૂમમાં પૂરી દીધી હતી, તેમજ માર માર્યો હતો.હનુમાન નારાયણ સાંઈનો મુખ્ય મદદગાર હતો. બનાવના દિવસે હનુમાન પીડિતાને આશ્રમના દરવાજાથી નારાયણ સાંઈની કુટિર સુધી લઈ ગયો હતો. હનુમાન છેક સુધી નારાયણ સાંઈની સાથે હતો. તે સાંઈના મદદગાર તરીકે કામ કરતો હતો. આ કેસમાં નેહા દિવાન અને અજય દિવાનને કોર્ટે છોડી મૂક્યા છે. નારાયણ સાંઈ જે ગાડીમાંથી મળ્યો હતો તે નેહા અને અજય દિવાનના નામે નોંધાયેલી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments