Webdunia - Bharat's app for daily news and videos

Install App

Narayan Rane Arrest: નારાયણ રાણેની ધરપકડ, કોર્ટે રદ્દ કરી અગ્રિમ જામીન અરજી

Webdunia
મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (15:51 IST)
મુંબઈ. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની અગ્રિમ જામીન અરજીને રત્નાગિરી કોર્ટ દ્વારા રદ્દ કર્યા બાદ હવે તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે તેમને સ્થાનિક કોર્ટમાં રજુ કરવામાં આવશે. રિમાંડ મળતા તેમને નાસિક લઈ જવામાં આવશે. 
 
નારાયણ રાણેએ બોમ્બે હાઈકોર્ટમાં લગાવી જામીન અરજી 
 
માહિતીના મુજબ નારાયણ રાણેએ બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી છે. આ ઉપરાંત તેમની ઉપર જે ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેને પણ રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. જો કે બોમ્બે હાઈકોર્ટે આ મામલે તરત સુનાવણી કરવાની ના પાડી દીધી છે. હવે આ મામલાની સુનાવણી મંગળવારે સાંજે 4.30 વાગે કરવામાં આવશે. 
 
વારંટ વગર મારી ધરપકડ નથી કરી શકતા 
 
ભાજપના નેતા પ્રમોદ જાખર જેઠાના જણાવ્યા અનુસાર  નારાયણ રાણેને કસ્ટડી લેવા રત્નાગિરિ પોલીસ આવી છે. પણ જ્યારે અમે તેમને ધરપકડનું વોરંટ બતાવવાનું કહ્યું ત્યારે તેની પાસે કોઈ વોરંટ નહોતુ. પોલીસ કહે છે અમારા જેઠાલાલે કહ્યું પોલીસ કહે છે કે અમે દબાણ હેઠળ છીએ અને 5 મિનિટમાં ધરપકડ કરવાનું કહ્યું. અમે પોલીસને કહ્યું છે કે કેન્દ્રીય મંત્રીની અટકાયત માટે એક પ્રોટોકોલ છે, જેનું પાલન કરવું ફરજિયાત છે, વોરંટ વગર કોઈની અટકાયત કરી શકાતી નથી. પોલીસ દ્વારા ઈસ્યુ કરાયેલા વોરન્ટ પર નારાયણ રાણેએ કહ્યું હતું કે આ વિશે મને કોઈપણ ઓફિશિયલ માહિતી નથી. પોલીસ તરફથી કોઈપણ નોટિસ મળી નથી. મેં કોઈ ગુનો કર્યો નથી. આ સિવાય મને કોઈ FIRની પણ માહિતી નથી. હું એક કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાનો સાંસદ છું, આ કારણે કાયદો શું છે એની મને સારી સમજણ છે.
 
રાણેને કેન્દ્રીય મંત્રી પદ પરથી હટાવવાની માંગ
 
રાણેના નિવેદન પર હંગામા બાદ શિવસેના હુમલાખોર બની ગઈ છે. શિવસેનાના લોકસભા સાંસદ વિનાયક રાઉતે પીએમ મોદીને પત્ર લખીને રાણેને કેન્દ્રીય મંત્રી પદેથી તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી. રાઉતે પોતાના પત્રમાં લખ્યું છે કે, રાણેએ  પત્રકાર પરિષદમાં રાજ્યના મુખ્યમંત્રી માટે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે અત્યંત નિંદનીય છે.  નારાયણ રાણે જેવા પોતાની મર્યાદા ભૂલનારા કેન્દ્રીય મંત્રી આવી ભાષાનો ઉપયોગ કરે છે તો મને લાગે છે કે તેમને તેમના પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments