Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈની મેડિકલ કોલેજમાં કોરોના બ્લાસ્ટ! 29 MBBS વિદ્યાર્થીઓને કોવિડ-19 પોઝિટિવ

Webdunia
ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (16:40 IST)
મુંબઈની કેઈએમ અને શેઠ જીએસ મેડિકલ કોલેજ (KEM and Seth GS Medical College )માં અભ્યાસ કરનારા MBBSના 29 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટિવ  (Corona Positive)જોવા મળ્યા છે. 29માંથી 23 વિદ્યાર્થીઓએ સેકંડ ઈયર ને 6 વિદ્યાર્થી ફર્સ્ટ ઈયરના છે. કોરોના પોઝિટિવ જોવા મળેલા 29 વિદ્યાર્થીઓમાંથી 27 વિદ્યાર્થીઓએ કોરોના વેક્સીન (Corona Vaccine) ના બંને ડોઝ લીધા હતા. 
 
સાથે જ બે વિદ્યાર્થીઓને સારવાર માટે સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને ક્વારંટાઈન કરવામાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ કેવી રીતે વાયરસની પકડમાં આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.  આ સાથે જ મહારાષ્ટ્રના થાણેમાં કોરોના વાયરસના 315 નવા કેસ નોંધાયા બાદ, આ જિલ્લામાં સંક્રમણના કેસ વધીને 5,59,110 થઈ ગયા છે.  ગુરુવારે  એક અધિકારીએઆ માહિતી આપી.

ઠાણેમાં 315 નવા કેસ
 
સાથે જ મહારાષ્ટ્રના થાણેમાં કોરોના વાયરસના 315 નવા કેસ નોંધાયા બાદ, આ જિલ્લામાં ચેપના કેસ વધીને 5,59,110 થઈ ગયા છે. એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે આ નવા કેસ બુધવારે સામે આવ્યા હતા. આ સાથે વધુ ત્રણ દર્દીઓના મોત બાદ જિલ્લામાં મૃત્યુઆંક વધીને 11,406 થયો છે.
 
તેમણે કહ્યું કે જિલ્લામાં કોવિડ -19 થી મૃત્યુ દર 2.04 ટકા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે પડોશી પાલઘર જિલ્લામાં કોવિડ -19 ના કેસ વધીને 1,35,882 થયા છે, જ્યારે ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 3,276 છે.
 
કોરોના ડ્યુટી દરમિયાન જીવ ગુમાવનારાઓ માટે 138 કરોડ
 
મહારાષ્ટ્ર સરકારે રાજ્યના પોલીસ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓના પરિવારો માટે 138 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય મંજૂર કરી છે જેમણે કોરોના ડ્યુટી દરમિયાન જીવ ગુમાવ્યો છે. સરકારે માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આ માહિતી આપી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments