Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમારી ધીરજ ખૂટી ગઈ તો... ' તાલિબાનનું ઉદાહરણ આપીને મહેબૂબાની ધમકી

Webdunia
શનિવાર, 21 ઑગસ્ટ 2021 (18:05 IST)
જમ્મુ -કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ તાલિબાનનું ઉદાહરણ આપીને મોદી સરકારને ચેતવણી આપી છે. ધીરજ ખૂટી જશે તો હટાવવાની અને મિટાવી દેવાની ધમકી આપતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે મોદી સરકારે અટલ બિહારી વાજપેયીની જેમ પાકિસ્તાનીઓ અને કાશ્મીરીઓ સાથે વાત કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જો આઝાદી સમયે ભાજપ હોત તો આજે કાશ્મીર ભારતમાં ન હોત.
 
મહેબૂબા મુફ્તીએ શનિવારે એક કાર્યક્રમમાં તાલિબાન સાથે સરખામણી કરતા કહ્યું કે, "જ્યારે આ ધીરજનો બાંધ તૂટી જશે ત્યારે તમે નહી રહો, મટી જશો." પડોશમાં (અફઘાનિસ્તાન) શું થઈ રહ્યું છે તે જુઓ. તેમને પણ ત્યાંથી બોરિયા બિસ્તરા લઈને પાછા જવું પડ્યું. તમારા પાસે હજુ પણ એક તક છે. વાજપેયીજીએ જે રીતે કાશ્મીરમાં, પાકિસ્તાન સાથે અને બહાર પણ વાતચીત શરૂ કરી હતી, તેવી જ રીતે તમારે વાતચીતની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.
 
કલમ 370 હટાવવાથી અને જમ્મુ -કાશ્મીરમાંથી રાજ્યનો દરજ્જો દૂર કરીને લદ્દાખને અલગ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે મહેબૂબાએ કહ્યું કે, "તમે ગેરકાયદેસર રીતે જે છીનવી લીધું છે તે ગેરકાયદેસર છે. જે જમ્મુ -કાશ્મીરના ટુકડે ટુકડા કરી દીધા તેને પરત કરો નહી તો મોડું થઈ જશે.
 
તાલિબાન શાસન વચ્ચે અફઘાનિસ્તાનમાં ભારતીયોનું એરલિફ્ટ ચાલુ છે. સમાચાર એજન્સી ANIનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કાબુલ એરપોર્ટ પરથી 85 ભારતીયોને લઈને એરફોર્સના C-130J વિમાને આજે સવારે લગભગ 10.30 વાગ્યે ઉડાન ભરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, વધુ 200 લોકોને લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. એરફોર્સના C-17 વિમાનને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે.
 
ષડયંત્ર રચનારાઓને જમીનભેગા કરી દઈશુ -  BJP
 
તે જ સમયે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ એક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મહેબૂબા મુફ્તીને દેશદ્રોહી ગણાવ્યા અને કહ્યું કે તેઓ જમ્મુ -કાશ્મીરમાં તાલિબાનનું શાસન ઈચ્છે છે. રૈનાએ કહ્યું, "મહેબૂબા મુફ્તીને મોટી ગેરસમજ છે, ભારત એક શક્તિશાળી દેશ છે અને આપણા દેશના પીએમ મોદી છે, પછી તે તાલિબાની હોય, અલ કાયદા હોય, જૈશ હોય, હિઝબુલ હોય, જે પણ ભારતની એકતા અને અખંડિતતા વિરુદ્ધ કાવતરું કરશે તેને જમીન ભેગા કરી દેવાશે. અમારા પીએમ મોદીજી છે, બાઈડેન નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments