Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bus Accident in Meghalaya: મેઘાલયમાં ભીષણ દુર્ઘટના, 21 મુસાફરો સાથે બસ નદીમાં ખાબકી, અત્યાર સુધી 6 મુસાફરો માર્યા જવાના સમાચાર

Webdunia
ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (12:03 IST)
Bus Accident in Meghalya: મેઘાલયમાં એક ભયાનક અકસ્માત થયો છે. તુરાથી શિલોંગ જતી એક બસ રિંગડી નદીમાં પડી. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં છ મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત મોડી રાત્રે 12 વાગ્યે થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય મુસાફરોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. જો કે બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર છ લોકોના મોત થયા છે. ઘાયલોને વિલિયમનગર અને તુરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

<

#BREAKING
A major bus accident occurred as an MTC night bus enroute #Shillong from #Tura fell off the Nongshram bridge in Nongstoin!

Few passengers are reported to have lost their lives & several others sustained injuries.@SangmaConrad @CMO_Meghalaya @MeghalayaGov pic.twitter.com/DlqEIIubHA

— Sashanka Chakraborty (@SashankGuw) September 30, 2021 >

મીડિયા અહેવાલો અનુસાર, ચાર મૃતદેહો નદીમાં બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે બે મૃતદેહો હજુ પણ બસની અંદર ફસાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર 16 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત નોંગશ્રમ પુલ પર થયો, જે પૂર્વ ગારો હિલ્સ અને વેસ્ટ ખાસી હિલ્સ જિલ્લાઓની સરહદ છે.


બસમાં 21 મુસાફરોની સવારી હતી 
 
ઈસ્ટ ગારો હિલ્સ પોલીસના જણાવ્યા અનુસાર, મેઘાલય પરિવહન નિગમની બસમાં 21 મુસાફરો હતા. આ દુર્ઘટના રાજધાનીથી લગભગ 185 કિમીના અંતર પર બની હતી. માહિતી મળ્યા બાદ બચાવ અને ઈમરજેંસી સર્વિસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે
 
ગુમ થયેલા લોકોની શોધખોળ 
 
ઈસ્ટ ગારો હિલ્સના ડેપ્યુટી કમિશનર સ્વપ્નિલ તેમ્બેએ કહ્યું છે કે બે મુસાફરો હજુ પણ ગુમ છે, તેમની શોધ ચાલુ છે. આશા છે કે અમે તેમને જલ્દી શોધી લઈશુ.  બસમાં સવાર મુસાફરોમાંથી 9 તૂરાના હતા જ્યારે 12 મુસાફરો વિલિયમનગરના છે.  મુસાફરોના પરિવારોને વધુ માહિતી માટે ઈસ્ટ ગારો હિલ્સ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments