Publish Date: Mon, 02 Sep 2024 (15:09 IST)
Updated Date: Mon, 02 Sep 2024 (15:10 IST)
જમ્મુ-કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર પંછી હેલીપેડ પાસે ભૂસ્ખલન થયું છે, જે બાદ માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે
જમ્મુ-કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર સોમવારે એક મોટો અકસ્માત થયો હતો. પંછી હેલીપેડ પાસે ભૂસ્ખલન થયું છે, ત્યારબાદ માતા વૈષ્ણોદેવી સાઈન બોર્ડ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે ભૂસ્ખલન થયું છે. વાસ્તવમાં આ વિસ્તારમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસાદ પડી રહ્યો છે.