Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પહેલગામ આતંકી હુમલામાં કાનપુરના યુવકનું મોત, આતંકીઓએ તેને માથામાં ગોળી મારી, પત્ની સાથે કાશ્મીર ગયો હતો

જમ્મુ-કાશ્મીરના પહલગામ
, બુધવાર, 23 એપ્રિલ 2025 (09:39 IST)
Kanpur youth dies in Pahalgam terror attack- જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં યુપીના કાનપુરના રહેવાસી શિવમ દ્વિવેદીનું મોત થયું હતું. આતંકીઓએ શિવમને માથામાં ગોળી મારી દીધી છે. તમને જણાવી દઈએ કે, શુભમના લગ્ન 12 ફેબ્રુઆરી 2025ના રોજ થયા હતા. તે તેની પત્ની અને અન્ય 11 લોકો સાથે કાશ્મીર ફરવા ગયો હતો. મૃતક તેની પત્ની સાથે ઘોડેસવારી કરીને પરત ફરી રહ્યો હતો, તે સમયે આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યું અને તેને માથામાં ગોળી મારી દીધી. આ ઘટનામાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
 
તેનું નામ પૂછ્યા બાદ આતંકીઓએ તેને ગોળી મારી દીધી હતી
મૃતકના ભાઈએ આરોપ લગાવ્યો કે આતંકવાદીઓએ લોકોના નામ પૂછ્યા બાદ ગોળીબાર કર્યો અને તેને માથામાં ગોળી મારી હતી. તેણે જણાવ્યું કે ભાઈ તેની પત્ની સાથે પહેલગામમાં હતો. આ ઘટના પછી ભાભીએ મારા કાકાને ફોન કરીને બધી વાત કહી. હાલ તમામ પ્રક્રિયા બાદ મૃતદેહને મુક્ત કરવામાં આવશે. હુમલાની નિંદા કરતા ભાજપના ધારાસભ્ય પ્રશાંત ઠાકુરે કહ્યું કે પહેલગામમાં થયેલા દુ:ખદ અને ભયાનક હુમલાની સખત નિંદા કરવી જોઈએ.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પહેલગામ ઉગ્રવાદી હુમલા બાદ વડાપ્રધાન સાઉદી અરેબિયાનો પ્રવાસ છોડીને ભારત પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી