Publish Date: Tue, 18 Nov 2025 (11:24 IST)
Updated Date: Tue, 18 Nov 2025 (11:32 IST)
ઉત્તર પ્રદેશના કાનપુરથી મંગળવારે દિલ દહેલાવનારી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ એક ડબલ ડેકર બસ પલટી જવાને કારણે અત્યાર સુધી 3 લોકોના મોત થઈ ચુયા છે. આ ઉપરાંત આ દુર્ઘટનામા બે ડઝનથી વધુ લોકો ઘાયલ બતાવાય રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના આગરા એક્સપ્રેસ વે પર થયો ચે. આવો જાણીએ કે આ દુર્ઘટના વિશે અત્યાર સુધી શુ જાણ થઈ છે.
દિલ્હીથી બિહાર જઈ રહી હતી બસ
અત્યાર સુધી મળતી માહિતી મુજબ જે બસ કાનપુરમાં આગરા એક્સપ્રેસ વે પર દુર્ઘટનાનો શિકાર થયા તે દિલ્હીથી બિહાર જઈ રહી હતી. મંગળવારે સવારમાં આ બસ દુર્ઘટનાના શિકાર થઈ ગઈ. દુર્ઘટનામાં બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે કાનપુર રેફર કરવામાં આવ્યા છે. આ સમગ્ર દુર્ઘટના કાનપુરના અરૌલ પોલીસ મથકમાં દુર્ઘટના થઈ છે. દુર્ઘટના વિશે વધુ માહિતી અપડેટ થઈ રહી છે.