Publish Date: Sun, 09 Jul 2023 (16:40 IST)
Updated Date: Sun, 09 Jul 2023 (16:44 IST)
કાજોલે આપ્યુ વિવાદસ્પદ નિવેદન - કાજોલે દેશના નેતાઓ વિશે શું કહ્યું?
કાજોલે દેશના નેતાઓને લઈને એક નિવેદન આપ્યું, જેના પછી લોકોએ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે નેતાઓ પાસે શિક્ષણની પૃષ્ઠભૂમિ નથી.
જેના કારણે દેશમાં પરિવર્તનની ગતિ ધીમી છે. ઈન્ટરવ્યુમાં તેમણે દેશના નેતાઓ પર નિશાન સાધ્યું હતું. આ નિવેદન બાદ તે લોકોના નિશાના પર આવી ગઈ હતી. જ્યાં કેટલાક યુઝર્સ એક્ટ્રેસને ટ્રોલ કરી રહ્યા છે. તો કેટલાક કાજોલને સપોર્ટ પણ કરી રહ્યા છે
વિવાદો બાદ નિવેદન જારી
વિવાદોમાં ફસાયા બાદ અભિનેત્રીએ ટ્વિટર પર આ મામલે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે માત્ર શિક્ષણની વાત કરી રહી છે. તેમનો હેતુ કોઈ નેતાને નીચું જોવાનો નહોતો
Edited By-Monica Sahu