Webdunia - Bharat's app for daily news and videos

Install App

બંગાળની ખાડીમાં આવી રહ્યુ છે ચક્રવાતી વાવાઝોડુ અસની, જાણો કેટલી તબાહી મચાવી શકે છે આ વંટોળ

Webdunia
ગુરુવાર, 17 માર્ચ 2022 (12:35 IST)
આગામી અઠવાડિયે બંગાળની ખાડીમાં અસની ચક્રવાત આવી શકે છે. મોસમ વિભાગે કહ્યુ કે આગામી અઠવાડિયાની શરૂઆતમાં દક્ષિણ પશ્ચિમ હિંદ મહાસાગરની ઉપર બનેલ એક નિમ્ન દબાણનુ ક્ષેત્ર તેજ ચક્રવાતી વાવાઝોડામાં બદલાઈ શકે છે. મોસમ વિભાગના પૂર્વાનુમાનોના મુજબ આ વાવાઝોડુ પછી બાંગ્લાદેશ અને તેના કિનારે ઉત્તરી મ્યાંમારની તરફ વધશે.  IMDના મુજબ વર્તમાન નિમ્ન દબાણનુ ક્ષેત્ર  (LPA)મંગળવારે બન્યુ હતુ અને તેના શનિવાર સુધી પૂર્વ-ઉત્તર પશ્ચિમ દિશાની તરફ વધવાની શક્યતા છે. ત્યારબાદ આ અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહની તરફ વધશે. 
 
હવામાન વિભાગે કહ્યું છે કે જે લો-પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે તે 21 માર્ચે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે, જે 22 માર્ચે ઉત્તર અને ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે. જો આ ચક્રવાત વાવાઝોડાનું રૂપ ધારણ કરશે તો તેનું નામ અસાની રહેશે. નિયમો અનુસાર, આ ચક્રવાતી તોફાનને શ્રીલંકાએ આસાની નામ આપ્યું છે
 
માછીમારોને દરિયાકાંઠે દૂર રહેવાની સલાહ 
 
હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં અસર દર્શાવ્યા બાદ આ ચક્રવાતી તોફાન 23 માર્ચે બાંગ્લાદેશ અને મ્યાનમારના ઉત્તરીય છેડે પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવાર અને શુક્રવારે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્રમાં દરિયાઈ હિલચાલ વધુ તીવ્ર થવાની સંભાવના છે. તેથી  હવામાન વિભાગે  ચેતવણી આપતા  માછીમારોને આગામી બુધવારે બંગાળની ખાડીના દક્ષિણ ભાગ અને તેની આસપાસના વિસ્તારોમાં અને આગામી ગુરુવાર અને શુક્રવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં માછીમારી માટે ન જવાની સલાહ આપી છે.
 
પવનની ઝડપ 90 કિમી હોઈ શકે
 
હવામાન વિભાગે શનિવાર અને મંગળવાર વચ્ચે આંદામાન સમુદ્રથી આંદામાન અને નિકોબાર ટાપુઓ સુધી મુસાફરી ન કરવાની પણ સલાહ આપી છે. રવિવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં જોરદાર પવનની અપેક્ષા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસે પવનની ઝડપ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. ,જે બીજા દિવસે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. જો કે, હવામાન વિભાગે એ નથી જણાવ્યું કે જો ચક્રવાતની સ્થિતિ વાવાઝોડામાં ફેરવાય તો તે કેટલું જોખમી બની શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments