Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાથી બચવાનો એક જ રસ્તો, 'ફુલ લોકડાઉન' - રાહુલ ગાંધી

Webdunia
મંગળવાર, 4 મે 2021 (11:51 IST)
ગયા વર્ષે કોરોનાની રોકથામ માટે લગાવેલા દેશવ્યાપી લોકડાઉનની આલોચના કરનારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હવે કહ્યુ છે કે કોરોનાના સંક્રમણથી બચવા માટે હવે 'ફુલ લોકડાઉન'  જ એકમાત્ર રસ્તો બચ્યો છે  રાહુલ ગાંધીએ એ પણ કહ્યુ છે કે ભારત સરકારની નિષ્ક્રિયતાને કારણે માસૂમ લોકોના જીવ જઈ રહ્યા છે. 

<

GOI doesn’t get it.

The only way to stop the spread of Corona now is a full lockdown- with the protection of NYAY for the vulnerable sections.

GOI’s inaction is killing many innocent people.

— Rahul Gandhi (@RahulGandhi) May 4, 2021 >
 
રાહુલ ગાંધીએ કોરોનાને રોકવા માટે ખરાબ વ્યવસ્થાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ. તેમણે ટ્વીટ કર્યુ, ભારત સરકાર સમજી નથી રહી. આ સ્થિતિમાં કોરોનાને ફેલાતો રોકવાનો એકમાત્ર રસ્તો પૂર્ણ લોકડાઉન છે. ભારત સરકારની નિષ્ક્રિયતાથી અનેક માસૂમ લોકો મરી રહ્યા છે. 
 
વીતેલા અનેક અઠવાડિયાથી રાહુલ ગાંધી કોરોનાને લઈને કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર હુમલો બોલી રહ્યા છે. સોમવારે પણ કર્ણાટકના જીલ્લા હોસ્પિટલમાં ઓક્સીજનની કમીને કારણે 24 દર્દીઓ માર્યા જવાને રાહુલ ગાંધીએ હત્યા કરાર આપ્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે આ દરમિયાન મંગળવારે ભારતમાં કોરોના વાયરસના 3 લાખ 57 હજાર 229 નવા મામલા નોંધવામાં આવ્યા છે. જો કે દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો 2 કરોડને પાર થઈ ગયો છે. બીજી બાજુ આ દરમિયાન 3 હજાર 449 લોકોએ કોરોનાને કારણે દમ તોડ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments