Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમિલનાડુ - કલ્લાકુરિચી જીલ્લાના શંકરપુરમ શહેરમાં ફટાકડાની દુકાનમાં લાગી આગ, 5 લોકોના મોત

Webdunia
બુધવાર, 27 ઑક્ટોબર 2021 (00:35 IST)
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરપુરમ શહેરમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા પાંચ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો દાઝી ગયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ અહેવાલ લખાય છે ત્યાં સુધી ફટાકડાની દુકાનમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી.
 
કલ્લાકુરિચીના જિલ્લા કલેક્ટર પીએન શ્રીધરે જણાવ્યું છે કે અનેક ફાયર બિગ્રેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આગને કારણે પાંચ લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળીના કારણે દુકાનમાં ઘણો સ્ટોક જમા થયો કરવામાં આવ્યો હતો. આગની જ્વાળાઓ એકદમ ઉંચી દેખાઈ રહી છે. ફાયર ફાઈટર આગને કાબુમાં લેવા માટે ભારે પ્રયાસ કરી રહી છે.
 
પ્રાથમિક અહેવાલો અનુસાર, દુકાનની સામે પાર્ક કરાયેલ એક ટુ-વ્હીલર પણ ભીષણ આગને કારણે આગની લપેટમાં આવી ગયું હતું. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓ માટે 5-5 લાખ રૂપિયા અને ઈમરજન્સી વોર્ડમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
 
ફટાકડાની દુકાનો, ગોડાઉન અને ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાઓ કમનસીબે અસામાન્ય નથી. 10 સપ્ટેમ્બરના રોજ, વિરૂધુનગર જિલ્લાના થાયિલપટ્ટી ખાતે ફટાકડા ઉત્પાદન કંપનીમાં આકસ્મિક વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને સાત અન્ય ઘાયલ થયા હતા. જૂનમાં, તે જ વિસ્તારમાં થાયિલપટ્ટીમાં ગેરકાયદેસર ફટાકડા ઉત્પાદન એકમમાં વિસ્ફોટ પછી બે લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર 2020 માં, અન્ય એક ઉત્પાદન એકમમાં આવી જ આગમાં સાત મહિલાઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
 
આ વર્ષે, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાનુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા અને તેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ દેહને ગામમાં બની હતી અને બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. આ વિસ્તાર મુંબઈથી લગભગ 125 કિમી દૂર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments