Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેમસ અભિનેતાએ કપલ પર ચડાવી કાર

Webdunia
રવિવાર, 1 ઑક્ટોબર 2023 (17:47 IST)
બેંગલુરુથી ચોંકાવનારા સમાચાર છે. મળતી માહિતી મુજબ, ગત રાત્રે પ્રખ્યાત કન્નડ અભિનેતા નાગભૂષણની કારનો ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે તેનો પતિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત બાદ પોલીસે નાગભૂષણ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
 
સમાચાર અનુસાર, આ પરિણીત યુગલ ગત શનિવારે રાત્રે ફૂટપાથ પર ચાલી રહ્યું હતું. ત્યારે નાગભૂષણની કારે તેને ટક્કર મારી હતી. દંપતીને ટક્કર માર્યા બાદ નાગભૂષણની કાર ફૂટપાથ પરના ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી.
 
આ અકસ્માતમાં પ્રેમાનું મોત થયું હતું પરંતુ તેના પતિની સારવાર ચાલી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો, પતિ ક્રિષ્નાને તેના બંને પગ, માથા અને પેટમાં ઈજાઓ થઈ છે. કૃષ્ણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે.પોલીસે આ મામલામાં અભિનેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. જેમાં અભિનેતા પર ઓવરસ્પીડિંગ અને બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments