Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોલકતામાં ડૉક્ટરોના વિરોધપ્રદર્શન દરમિયાન હિંસા, ભીડ દ્વારા હૉસ્પિટલમાં તોડફોડ

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 (12:54 IST)
કોલકતાની આરજી કર મેડિકલ કૉલેજમાં મહિલા તબીબની સાથે દુષ્કર્મ તથા હત્યા મામલે ડૉક્ટરો વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે 14 અને 15 ઑગ્સ્ટની મધ્યરાત્રિએ અજાણ્યા શખ્સોની ભીડે હૉસ્પિટલ પરિસરમાં પ્રવેશ કરીને પ્રદર્શનસ્થળ, વાહનો તથા સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.
 
કોલકતાના પોલીસ કમિશનર વિનીતકુમારના કહેવા પ્રમાણે મીડિયાના અપપ્રચારને કારણે આ બધું ઘટ્યું હતું અને મોડી રાત્રે જ ભીડને વિખેરી નાખવામાં આવી હતી.
 
દરમિયાન પશ્ચિમ બંગાળનાં સત્તાધારી પક્ષ તૃણમુલ કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચીવ તથા લોકસભામાં સંસદસભ્ય અભિષેક બેનરજીએ કહ્યું હતું કે આરજી કરમાં ગુંડાગીરી તથા બર્બરતાએ સ્વીકાર્ય સીમાઓ ઓળંગી દીધી છે.
 
તેમણે માગ કરી હતી કે જે લોકોએ હિંસા આચરી હોય તેમને 24 કલાકની અંદર ઓળખી લેવામાં આવે તથા તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે.
 
બીજી બાજુ, રાજ્યમાં વિરોધપક્ષના નેતા શુભેન્દુ અધિકારીનો આરોપ છે કે હુમલાખોર ટીએમસીના ગુંડા હતા.
 
વિનીત કુમારે કહ્યું હતું કે માત્ર અફવાઓના આધારે તેઓ પીજીના વિદ્યાર્થીની ધરપકડ ન કરી શકે. "મારા આત્માને એ મંજૂર નથી." વિનીતકુમારના કહેવા પ્રમાણે, 'આ મામલે પોલીસ ઉપર મીડિયાનું ભારે દબાણ છે.'
 
વિનીત કુમારે ઉમેર્યું, "અમે અત્યાર સુધી યોગ્ય તપાસ કરી છે તથા મને તેમાં કોઈ શંકા નથી. હવે સીબીઆઈ આ કેસની તપાસ કરશે. તે નિષ્પક્ષ તપાસ કરશે. અમે સીબીઆઈને પૂરો સહકાર આપીશું."
 
મોડીરાત્રે શું થયું 
બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ મોડી રાત્રે પ્રદર્શનસ્થળે જે કંઈ બન્યું, તેનો આંખે દેખ્યો અહેવાલ જણાવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, અજાણ્યા શખ્સો આરજી કર હૉસ્પિટલમાં ઘૂસી ગયા હતા, એ પછી સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ હતી.
 
આ દરમિયાન મીડિયાને પણ ટાર્ગૅટ કરવામાં આવ્યાં હતાં. કૅમેરાપર્સન ઉપર હુમલા થયા. ત્યાં રહેલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી. કેટલાક પત્રકાર ઘણો સમય સુધી ફસાયેલા રહ્યા.
 
ઘટનાસ્થળે પણ ભારે તોડફોડ થઈ હતી. ત્યાંના વીડિયોમાં અનેક વાહન તથા હૉસ્પિટલ પરિસરમાં ભારે તોડફોડ થઈ હોવાનું માલૂમ પડે છે.
 
હિંસા પછી આરજી કર હૉસ્પિટલના તબીબોએ વીડિયો સંદેશ પણ બહાર પાડ્યો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

આગળનો લેખ
Show comments