Webdunia - Bharat's app for daily news and videos

Install App

Delhi Arpit Palace Hotel Fire - દિલ્હીના હોટલમાં લાગેલી ભીષણ આગ, 17ની મોત, રેસક્યુ ઓપરેશન ચાલુ

Webdunia
મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (10:58 IST)
દિલ્હીના કરોલ બાગ (Karol Bagh)માં એક હોટલ  (Delhi Arpit Hotel Fire)માં મંગળવારે સવારે ભીષણ આગ લાગી. આગની ચપેટમાં આવવાથી એક બાળક સહિત 17 લોકોના મોત થયા, જ્યારે કે ત્રણ ગંભીર રૂપથી દાઝી ગયા છે. બીજી બાજુ ફાયર કર્મચારીઓએ અત્યાર સુધી લગભગ 35 લોકોને બહાર કાઢી લીધા છે. જો કે હજુ કેટલાક અન્ય લોકોને ફંસાયેલા થવાની સૂચના છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આગ લાગવા પાછળના કારણો અત્યાર સુધી જાણ થઈ શકી નથી. અત્યાર સુધી રામમનોહર લોહિયા હોસ્પિટલમાં 17 મૃતકોને લાવવામાં આવ્યુ છે.  અત્યાર સુધી 13 મૃતકોને આરએમએલ, ને લોડી હાર્ડિગ અને 2 ને બીએલકે હોસ્પિટલમાં લઈ જઈ ચુકી છે.  આ ઉપરાંત કેટલાક ઘાયલ ગંગારામ  હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા છે. 
 
સવારે લાગી આગ...અને બચવા માટે કૂદી પડ્યા લોકો 
 
મળતી માહિતી પ્રમાણે કરોલબાગની હોટલ અર્પિત પેલેસમાં આગ સવારે અંદાજે સાડા ચાર વાગ્યે લાગી. લોકો ઊંઘમાં હતા એટલે ખબર જ ના પડી કે શું થયું અને આગ ફેલાતી ગઇ. ત્યારબાદ લોકોમાં દહેશત ફેલાય ગઇ. હોટલમાં આગ લાગી જવાને કારણે લોકો જીવ બચાવવા માટે હોટલના ચોથા માળેથી નીચે કૂદી ગયા હતા. મળતા અહેવાલ પ્રમાણે જીવ બચાવવા માટે ચાર લોકો નીચે કૂદી ગયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે 25 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આગ મંગળવારે સવારે પાંચ વાગ્યે લાગી હતી. આગને કારણે લોકો હોટલ પરથી સસ્તા પર કૂદી ગયા હતા.
 
ફાયર ઓફિસર સુનીલ ચૌધરી એ કહ્યું કે આગ પર સવારે લગભગ 8 વાગ્યા સુધીમાં કાબૂ મેળવી લીધો હતો. આ અકસ્માતમાં મરનાર લોકોના મૃતદેહ પણ બહાર નીકાળી લીધા છે. અંદાજે 30 લોકોને હોટલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. રિપોર્ટ્સના મતે હોટલમાં આગ સવારે સાડા ચાર વાગ્યે ફેલાવાનું શરૂ થયું. આગ ફેલાય ગઇ ત્યાં સુધી લોકોને ખબર જ ના પડી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments