Publish Date: Wed, 26 Jan 2022 (10:34 IST)
Updated Date: Wed, 26 Jan 2022 (10:37 IST)
દેશમાં કોરોનાની ત્રીજી લહેરના સતત નબળા થવાના સંકેત મળી રહ્યા છે. બુધવારે ગયા એક દિવસમાં કોરોનાના કુળ 2,85,914 નવા કેસ સામે આવ્યા છે. પણ આ સમયે આશરે 3 લાખ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગયા એક દિવસમાં કુળ 2,99,073 લોકો કોરોનાથી સાજા થયા છે. તેની સાથે જ કોરોનાને મ્હાત આપનાર લોકોની સંખ્યા 3 કરોડ 73 લાખ પાર થઈ ગઈ છે. જેના કારણે એક્ટિવ કેસમાં સતત બીજા દિવસે કમી નોંધાઈ છે. અત્યારે દેશમાં કોરોનાના કુળ એક્ટિવ કેસની સંખ્યા 22 લાખ 23 હજાર છે. તેની સાથે જ રિકવરી રેટ પણ વધી રહ્યો છે જે રાહતના સંકેત છે.