Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિટાયરમેંટ પહેલા 19 દિવસમાં 11 મોટા નિર્ણય આપશે સી.જે આઈ દીપક મિશ્રા

Webdunia
બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (17:55 IST)
ભારતના પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્રા 2 ઓક્ટબરના રોજ રિટાયર થઈ જશે પણ આ પહેલા તે પોતાની સેવાના અંતિમ મહિના સપ્ટેમ્બરમાં 19 કાર્ય દિવસમાં 11 મુખ્ય મામલા પર નિર્ણય સંભળાવશે. અનેક મામલાની સુનાવણી પુરી થઈ ચુકી છે.  ચીફ જસ્ટિસની આગેવાનીવાળી બેંચે આ કેસમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.  બીજી બાજુ દાઉદી બોહરા મુસ્લિમ સમુહમાં ખતના મામલાની સુનાવણી હજુ ચાલુ છે.  આ મહિને દેશની આથક સામાજીક પારિવારિક અને રાજનીતિક દિશા નક્કી કરશે.  આ રીતે આ મહિને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નિર્ણયો પર દેશભરની નજર રહેશે. 
 
 
- અયોધ્યા મામલો - અયોધ્યાનુ રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ સુપ્રીમ કોર્ટમાં છે.  આ મામલા હેઠળ એક મોટો સવાલ ઉઠ્યો છે કે 1994માં સુપ્રીમ કોર્ટે પોતાના એક નિર્ણયમાં કહ્યુ હતુ કે મસ્જિદમાં નમાજ પઢના ઈસ્લામનુ અભિન્ન અંગ નથી.  આ નિર્ણય દ્વારા પરીક્ષણ માટે તેને સુપ્રીમ કોર્ટની સંવૈઘાનિક બૈંચની સામે મોકલવામાં આવે કે નહી તેના પર નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો છે. 
 
-  આધાર મામલો - 38 દિવસની મૈરાથાન સુનાવણી પછી આધાર મામલે નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યોછે. વ્યક્તિગતને મૌલિક અધિકાર બતાવવાનો નિર્ણય આવ્યા પછી હવે આ વિશે નિર્ણય આવશે કે શુ આધાર માટે લેનારો ડેટા વ્યક્તિગતતાનુ ઉલ્લંઘન છે કે નહી. 
 
-  સમલૈંગિકતા - 2 વયસ્ક વચ્ચે સહમતિથી બનાવેલ અપ્રાકૃતિક સંબંધને અપરાધ હેઠળ મુકવામાં આવે કે નહી. આ મુદ્દા પર સુનાવણી પુરી થઈ ચુકી છે. નિર્ણય સી.જે આઈ ની બેંચ પાસે સુરક્ષિત છે. 
 
 
-અડલ્ટરી કેસ - જો કોઈ પરણેલા પુરૂષ કોઈ બીજી પરણેલી સ્ત્રી સાથે તેની સહમતિથી સંબંધ બનાવે છે તો સંબંધ બનાવનારા પુરૂષ વિરુદ્ધ એ મહિલાનો પતિ અડલ્ટરીનો કેસ નોંધાવી શકે છે. પણ સંબંધ બનાવનારી મહિલા વિરુદ્ધ કેસ નથી બનતો. આ નિયમ ભેદભાવવાળો છે કે નહી તેના પર નિર્ણય આવશે. 
 
 
એસસી.એસટી પ્રોમોશનનુ અનામત - પ્રોમોશનમાં અનામત મામલે સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે 30 ઓગસ્ટના રોજ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. મામલને 7 જજની સંવૈધાનિક બૈચને રૈફર કરવામાં આવે કે નહી. આ મુદ્દે નિર્ણય આવશે. 
 
કોર્ટમાં સુનાવણીની રેકોર્ડિંગ - સુપ્રીમ કોર્ટ આ નક્કી કરશે કે કોર્ટ કાર્યવાહીની રેકોર્ડિંગ અને સીધુ પ્રસારણ થવુ જોઈએ કે નહી. 
 
 
દાગીઓના ચૂંટણી લડવા પર રોક - સુપ્રીમ કોર્ટ આ વાતને નક્કી કરશે કે જે નેતાઓ વિરુદ્ધ ગંભીર કેસમાં આરોપ સાબિત થઈ ગયા છે તેમના ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવે કે નહી ?
 
 
-દહેજ પ્રતાડિત કેસ  - દહેજ પ્રતાડિતનો આરોપ મામલે સેફ ગાર્ડની જરૂર છે કે નહી ? તેના પર નિર્ણય આવશે. દહેજ કેસમાં સીધી ધરપકડ પર રોકના નિર્ણયને બીજીવાર સુનાવણી થઈ હતી. 
 
-સબરીમાલામાં મહિલાઓને એંટ્રી - સંવૈઘાનિક બેંચ નક્કી કરશે કે કેરલની સબરીમાલા મંદિરમાં 10 વર્ષથી લઈને 50 વર્ષની મહિલાઓને એંટ્રી આપવી જોઈએ કે નહી ? 
 
 
ટોળાના નુકશાન - ટોળાના હિંસક પ્રદર્શન પર ચીફ જસ્ટિસની આગેવાની વાળી બેંચ આ મામલે ગાઈડલાઈંસ રજુ કરશે. પોલીસ અને ઉત્પાત મચાવનારની જવાબદારી નક્કી થશે. 
 
 
નેતાઓની વકીલના રૂપમં પ્રેકટિસ - નેતાઓને વકીલના રૂપમાં પ્રેકટિસ કરવા વિરુદ્ધ અરજી પર સુનાવણી પુરી થઈ ચુકી છે. નિર્ણય આ મહિને આવશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

કોલકાતા: જુનિયર ડોકટરો કામ પર પાછા ફરશે, આંદોલન 'આંશિક રીતે' સમાપ્ત

મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો, ગઈકાલથી ઘણા લોકો લાઈનમાં છે

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

આગળનો લેખ
Show comments